ભારતમાં ભરઉનાળે તોફાન સર્જાયો: યુપી-બિહારમાં 83નાં મોત, 10 રાજ્યમાં વાવાઝોડાની આગાહી

ભારતમાં ભરઉનાળે તોફાન સર્જાયો: યુપી-બિહારમાં 83નાં મોત, 10 રાજ્યમાં વાવાઝોડાની આગાહી ભારતમાં ભરઉનાળે તોફાન સર્જાયો: યુપી-બિહારમાં 83નાં મોત, 10 રાજ્યમાં વાવાઝોડાની આગાહી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દેશભરમાં હવામાનમાં અચાનક અને કડક ફેરફાર સાથે યુનાળાની સીઝનમાં તોફાની પવન, વરસાદ અને વીજળીનો કહેર ત્રાટક્યો છે. પશ્ચિમ વિક્ષોભના કારણે હવામાન પેટર્નમાં બદલાવ આવતા અનેક રાજ્યોમાં અંધારું, ધૂળભર્યું વાતાવરણ અને અચાનક વરસાદના દ્રશ્યો જોવા મળ્યા છે.

વિશેષરૂપે ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યમાં પરિસ્થિતિ ગંભીર બની હતી, જ્યાં વાવાઝોડા અને ભારે પવન-વરસાદના કારણે કુલ ૮૩ લોકોના મોત નિપજ્યા છે. આમાં ૬૧ લોકો બિહાર અને ૨૨ લોકો યુપીમાં મૃત્યુ પામ્યા છે.

ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો – જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં અચાનક વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે આવનારા બે દિવસ દરમિયાન પણ પણ આવા જ તોફાની પવન, વીજળી અને વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

  • હવામાન વિભાગની આગાહી મુજબ અસરગ્રસ્ત રાજ્ય:
  • મધ્યભારત અને દક્ષિણ ભારત: બિહાર, ઝારખંડ, ઓડિશા, કેરળ, તમિલનાડુ
  • ઉત્તર અને પૂર્વ ભારત: જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય
  • પશ્ચિમ ભારત: ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી
  • આગામી દિવસોમાં તાપમાનનો અહેવાલ:
  • ગુજરાત અને મધ્યપ્રદેશ: 40-45 ડિગ્રી
  • દિલ્હી-એનસીઆર: 38-40 ડિગ્રી
  • રાજસ્થાન: 42-43 ડિગ્રી
  • પંજાબ, હરિયાણા: હળવો વરસાદ અને 37-39 ડિગ્રી
  • અલર્ટ અને ચેતવણીઓ:
  • વીજળી પડવાની શક્યતા: બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, ઓડિશા
  • ઝપાઝપી પવન અને ધૂળભરી આંધી: પંજાબ, હરિયાણા, રાજસ્થાન (40-50 કિમી પ્રતિ કલાક ઝડપે)
  • તોફાની હાલત: હિમાચલ અને ઉત્તરાખંડમાં 30-40 કિમી પ્રતિ કલાક પવન સાથે તોફાનની આગાહી

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *