ઓપરેશન સિંદૂર: ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો, 100થી વધુ આતંકીઓ ઠાર

  • મંગળવારની મધ્યરાતે ભારતીય વાયુસેનાની સરજમીન પાર કાર્યવાહી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં પ્રવેશી આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનને “ઓપરેશન સિંદૂર” નામ આપવામાં આવ્યું છે, જે 22 એપ્રિલના દિવસે જીવ ગુમાવનાર શહીદ જવાનોના પત્નીઓને સમર્પિત છે.

ભારતીય વાયુસેનાએ મંગળવારની મધ્યરાત બાદ આ કાર્યવાહી અમલમાં મૂકી, જેમાં કુલ 7 શહેરોમાં આવેલા 9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ, લગભગ 100થી વધુ આતંકીઓ આ હુમલામાં માર્યા ગયા છે.


એરસ્ટ્રાઈકમાં તબાહ થાય આ 9 ઠેકાણાં

1. બહાવલપુર – આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિમી દૂર આવેલું, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જેને ભારતીય સેના દ્વારા દ્વસ્ત કરવામાં આવ્યું છે.

2. મુરિદકે – આ આતંકવાદી ઠેકાણું આંતરરાષ્ટ્રીય સરહદથી 30 કિમી દૂર આવેલું છે. તે લશ્કર-એ-તૈયબાનો કેમ્પ હતો જે 26/11ના મુંબઈ હુમલા સાથે જોડાયેલો હતો.

3. ગુલપુર– આ આતંકવાદી ઠેકાણું LoC (પુંછ-રાજૌરી) થી 35 કિમી દૂર આવેલું છે.

4. લશ્કર કેમ્પ સવાઈ – આ આતંકવાદી ઠેકાણું પીઓકે તંગધાર સેક્ટરમાં 30 કિમી અંદર આવેલું છે.

5. બિલાલ કેમ્પ – જૈશ-એ-મોહમ્મદનું લોન્ચપેડ, આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓને સરહદ પાર મોકલવા માટે કરવામાં આવતો હતો.

6. કોટલી – LoC થી 15 કિમી દૂર સ્થિત લશ્કર કેમ્પ. આ એક એવું ઠેકાણું હતું જેમાં 50 થી વધુ આતંકવાદીઓ હતા.

7. બરનાલા કેમ્પ– આ આતંકવાદી ઠેકાણું LoC થી 10 કિમી દૂર આવેલું હતું.

8. સરજાલ કેમ્પ– જૈશનું તાલીમ કેન્દ્ર સાંબા-કઠુઆની સામે આંતરરાષ્ટ્રીય સરહદથી 8 કિમી દૂર સ્થિત છે.

9. મેહમૂના કેમ્પ (સિયાલકોટ નજીક) – તે હિઝબુલ મુજાહિદ્દીનનો તાલીમ કેમ્પ હતો અને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિમી દૂર સ્થિત હતો.

સંયુક્ત લશ્કરી કાર્યવાહી
સૂત્રોએ જણાવ્યું કે આ સંયુક્ત ઓપરેશનમાં ભારતીય સેના અને વાયુસેનાએ મળીને પ્રિસિઝન સ્ટ્રાઈક હથિયારોનો ઉપયોગ કર્યો હતો. મુખ્ય લક્ષ્યાંક તરીકે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા જેવા સંગઠનોના ઠેકાણા હતા, જેઓ પહેલગામ હુમલામાં સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે.

પાકિસ્તાનની ત્રિપાળી પ્રતિક્રિયા
પાકિસ્તાનના વિવિધ સ્તરેથી વિભિન્ન નિવેદનો સામે આવ્યા છે:

સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ: ભારતમાં પોતાના હવાઈ ક્ષેત્રમાંથી હુમલા કર્યા અને મિસાઇલો નાગરિક વિસ્તારોમાં પડવાની વાત કરી.

PTV ન્યૂઝ: દાવો કર્યો કે પાકિસ્તાની સેનાએ 2 ભારતીય લડાકુ વિમાનો તોડી પાડ્યા અને મસ્જિદો પણ નિશાન બની.

ISPR ડિરેક્ટર અહેમદ ચૌધરી: ભારતે 24 મિસાઇલ છોડ્યાનો દાવો કર્યો, જેમાં 8 નાગરિકોના મોત થયા અને 35થી વધુ ઘાયલ થયા.

ભારતે સ્પષ્ટતા આપી
ભારતીય સેનાએ સ્પષ્ટપણે કહ્યું કે લક્ષ્યાંક માત્ર આતંકવાદી ઠેકાણા હતા, પાકિસ્તાનના સૈનિક મથકોને નિશાન બનાવવામાં આવ્યા નહોતા.

વૈશ્વિક પ્રતિક્રિયા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને “શરમજનક” ગણાવી અને આશા વ્યક્ત કરી કે બંને દેશો વચ્ચેનો તણાવ ટૂંક સમયમાં ઓછો થશે.

પહેલગામ હુમલાનું પૃષ્ઠભૂમિ
22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 26 નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા હતા જેમાં નેપાળનો પણ એક પ્રવાસી શામેલ હતો. હુમલાના ટાર્ગેટ ધાર્મિક ઓળખના આધારે કરવામાં આવ્યા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *