ભારતમાં ફરી કોરોનાના કેસોમાં વધારો, પરંતુ ઘબરાવાની જરૂર નથી: ICMR

ભારતમાં ફરી કોરોનાના કેસોમાં વધારો, પરંતુ ઘબરાવાની જરૂર નથી: ICMR ભારતમાં ફરી કોરોનાના કેસોમાં વધારો, પરંતુ ઘબરાવાની જરૂર નથી: ICMR

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારતમાં ફરી એકવાર કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. આ અંગે ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ના અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ દેશમાં જોવા મળતા કોવિડ-19ના વેરિઅન્ટ માત્ર હળવા લક્ષણો સાથે છે અને કોઈપણ ગંભીર કેસ સામે આવ્યો નથી.

ઓમિક્રોનના 4 સબ-વેરિઅન્ટ મળી આવ્યા

ICMRના ડિરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે જણાવ્યું કે, “અત્યારે ઓમિક્રોનના 4 સબ વેરિઅન્ટ દેશમાં પ્રવર્તી રહ્યા છે. લોકો માટે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ મૂળભૂત સાવચેતીઓ જરૂરી છે.”

તેમણે જણાવ્યું કે ખાસ કરીને કેન્સર, ગંભીર બીમારીઓ અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારા લોકોને વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

સરકારી એજન્સીઓ ચેતવણી પર છે

ડૉ. બહલે ઉમેર્યું કે, “આ પહેલાં દક્ષિણ ભારતમાં કેસ વધ્યા હતા, ત્યારબાદ પશ્ચિમ અને હવે ઉત્તર ભારતમાં કેસ નોંધાઈ રહ્યા છે. IDSP (ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ) દ્વારા કોરોનાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.”

નવા કેસ ચિંતાજનક નથી

કેસ વધે ત્યારે ત્રણ મુખ્ય બાબતો જોવામાં આવે છે:

  1. કેસ કેટલા ઝડપથી વધી રહ્યા છે?
  2. વાઇરસ રોગપ્રતિકારક શક્તિથી બચી શકે છે કે નહીં?
  3. નવા કેસોમાં ગંભીરતા કેટલી છે?

હાલમાં જે કેસો નોંધાયા છે, તેમાં માત્ર વાઈરલ ફીવરના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. દર્દીઓમાં ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.

નવી રસી તૈયાર કરવાની સંપૂર્ણ ક્ષમતા

ICMRના જણાવ્યા મુજબ, જો આવશ્યક બને, તો ભારત પાસે નવી રસી તરત તૈયાર કરવાની ટેક્નોલોજી અને પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ છે. જોકે, હાલની પરિસ્થિતિને જોતા આવી કોઈ તાત્કાલિક જરૂરિયાત લાગતી નથી.

નાગરિકોને ઘબરાવાની જરૂર નથી

દિલ્લીના આરોગ્ય મંત્રી પંકજ સિંહે પણ જણાવ્યું કે નવા વેરિઅન્ટના કારણે મળતા લક્ષણો સામાન્ય છે અને લોકોને ઘબરાવાની જરૂર નથી, પરંતુ તકેદારી રાખવી અનિવાર્ય છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *