ગાંધીધામના સેક્ટર 7 માં પાણીની લાઇન તૂટતા હાલાકી

ગાંધીધામના સેક્ટર 7 માં પાણીની લાઇન તૂટતા હાલાકી ગાંધીધામના સેક્ટર 7 માં પાણીની લાઇન તૂટતા હાલાકી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગાંધીધામના સેક્ટર 7માં કિડાણા તરફ જતા રોડ પર છેલ્લા કેટલાક સમયથી પાણીની લાઇન તૂટી ગઈ છે. જેના કારણે રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી વેડફાઇ રહ્યું છે. જ્યારે પણ પાણી છોડવામાં આવે છે, ત્યારે રસ્તાઓ પર પાણી ફરી વળે છે. એક તરફ લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે, તો બીજી તરફ આ વિસ્તારમાં અમૂલ્ય જળનો વ્યય થઈ રહ્યો છે.

Advertisements

રોડ પર પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં, રસ્તા પર અનેક ખાડાઓ પડી ગયા છે, જેમાં પાણી ભરાતા અકસ્માત થવાનો ભય રહે છે. વાહનચાલકો અને રાહદારીઓ પાણી ભરેલા ખાડાઓના કારણે પડતાં પડતાં બચી રહ્યા છે. સ્થાનિકો તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરી રહ્યા છે.

Advertisements
Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment