અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ CMનું અવસાન: 242 યાત્રીઓ  સવાર હતા

અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં 105ના મોત અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં 105ના મોત

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અમદાવાદ શહેરના મેઘાણીનગર સ્થિત આઈજીપી હાઉસિંગ કમ્પાઉન્ડમાં આજે બપોરે ભારત માટે એક ભયાનક દુર્ઘટના બની. એર ઈન્ડિયાનું ફ્લાઈટ નં. 171-B, જે બોઇંગ વિમાન હતું, તે બપોરે 1:38 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયા બાદ માત્ર 2 મિનિટમાં બિલ્ડિંગમાં જઈ અથડાયું.

  • વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન

વિજય રૂપાણીની પ્લેન ક્રેશ પહેલાંની અંતિમ તસવીર સામે આવી

  • મોદીએ X પર લખ્યું: “નિ:શબ્દ કરી દેતી દુર્ઘટના
  • બ્રિટનના પીએમએ X પર દુ:ખ વ્યકત કર્યું

મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોની

દુર્ઘટનાની વિગત:

  • વિમાન સીધું સિવિલ હોસ્પિટલના ડોક્ટરો માટેના રહેણાંક બિલ્ડિંગ પર તૂટી પડ્યું.
  • અથડામણ બાદ ઘનઘોર ધૂમાડા અને આગની જ્વાળાઓ દૂર સુધી દેખાઈ.
  • સમગ્ર વિસ્તારમાં ભયભીત અને અફરાતફરીની સ્થિતિ સર્જાઈ.
  • ઘટના બાદ BSF, પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમો તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ.

બચાવ અને રાહત કામગીરી:

  • અત્યાર સુધીમાં 50 મૃતદેહો મળી આવ્યા છે, જે પૈકી ઘણાં સળગેલી હાલતમાં છે.
  • NDRF સહિત બચાવ દળો સતત રાહત કામગીરીમાં જોડાયેલા છે.
  • વડોદરામાંથી 25 ફાયર ઈંજિન્સ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે.
  • સોલા સિવિલ હોસ્પિટલમાં ઘાયલ અને મૃતદેહોને લાવવામાં આવી રહ્યા છે.

પાઇલટ અને ફ્લાઇટની માહિતી:

  • પાઇલટ સુમિત સુબ્બરવાલે “મેડે” કોલ કર્યો હતો – જે આંતરરાષ્ટ્રીય કટોકટી સંકેત છે.
  • પાઇલટ પાસે 8200 કલાકની ઉડાનનો અનુભવ, જ્યારે કોપાયલોટે 1100 કલાક ઉડાન ભરી હતી.
  • વિમાનમાં 200 મુસાફરો, 10 ક્રૂ સભ્યો, અને 8 વિદેશી નાગરિકો (7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન) સવાર હતા.

તાત્કાલિક પગલાં:

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “યુદ્ધના ધોરણે” રાહત કામગીરી શરૂ કરવાનું આદેશ આપ્યો છે.
  • મુખ્ય સચિવ પંકજ જોશી અને અન્ય અધિકારીઓને ગ્રીન કોરીડોર અને સારવારની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી.
  • ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે વાતચીત કરીને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.

બી.જે મેડિકલ મેસની તસવીરો

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *