વિજયભાઈનો લકી નંબર, એ જ અંતિમ તારીખ બની

વિજયભાઈનો લકી નંબર, એ જ અંતિમ તારીખ બની વિજયભાઈનો લકી નંબર, એ જ અંતિમ તારીખ બની

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થતા 265થી વધુ લોકોના દુઃખદ અવસાનની માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સ્વર્ગવાસ પામ્યા છે.

વિશેષ યોગાનુયોગ એ છે કે રૂપાણીજી માટે 1206 માત્ર એક સંખ્યા નહોતી – તે તેમનો ભાગ્યસૂત્ર હતો.
તેમનો જન્મદિવસ પણ 12મી તારીખે આવેલ છે. તેઓ પોતાના તમામ વાહનો (કાર, ટૂ-વ્હીલર) માટે નંબર “GJ XX XX 1206” પસંદ કરતા. તેમના દ્વારા પસંદ કરેલ દરેક મહત્વપૂર્ણ વસ્તુમાં આ નંબરનો ખાસ સમાવેશ રહેતો.

અને આજ રીતે, જેમની જીવનભર ઓળખાણ રહી 1206 સાથે, તેમનું અવસાન પણ 12-06-2025ના દિવસે થયું.
વિશેષ એ છે કે પ્લેન ક્રેશ વખતે વિજયભાઈનો બોર્ડિંગ પેસ નંબર પણ 12 જ હતો – જેને લોકોને એક આસ્થા સાથે જોડાતો અદભૂત યોગાનુયોગ માનવામાં આવી રહ્યો છે.

જ્યારે આખા ગુજરાતમાં શોક અને દુઃખની લાગણી છે, ત્યારે કેટલીક ભાવુક મનોભાવનાઓ આ સંજોગોને “દિવ્ય સંકેત” તરીકે પણ લઈ રહી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *