ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના રાજવી ફાટક રોડ પર ઓવરબ્રિજનું કામ ચાલતા સર્વિસ રોડની બિસ્માર હાલતથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અંજાર તરફથી આવતા-જતા લોકોને 70થી વધુ ટ્રેનોના કારણે ફાટક બંધ થવાથી અને મોટા ખાડાઓને લીધે ભારે હાલાકી વેઠવી પડતી હતી.

સ્થાનિક તંત્ર દ્વારા ખાડાઓનું પેચવર્ક કરાતાં લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ આ સમારકામ માત્ર ફાટક નજીક જ થયું છે. આગળના રસ્તા પર હજુ પણ મોટા ખાડાઓ યથાવત્ છે, જેને પણ તાત્કાલિક સુધારવાની માંગ ઉઠી છે.