ગાંધીધામ ટુડે, ન્યૂઝ : 12 જૂને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઑફ થયા બાદ થોડી જ વારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા, જેમાં અનેક મેડિકલ વિદ્યાર્થીઓ પણ શામેલ હતા. દુર્ઘટનામાં વિદ્યાર્થીઓને થયેલી ગંભીર ઇજાઓ અને મૃત્યુની ઘટનાને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) – ગુજરાત રાજ્ય શાખા દ્વારા ટાટા સન્સના ચેરમેન શ્રી એન. ચંદ્રશેખરનને પત્ર લખી સહાયની વિનંતી કરવામાં આવી છે.
IMA ગુજરાત શાખાએ પત્રમાં જણાવ્યું હતું કે, “આ વિમાન દુર્ઘટનામાં મેડિકલ વિદ્યાર્થીઓએ કે તો જીવ ગુમાવ્યા છે અથવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ વિદ્યાર્થીઓ માત્ર એક દુર્ઘટનાનો ભોગ નથી, પરંતુ તેઓ આપણા આગામી હેલ્થકેર સિસ્ટમના પાયા હતા. તેમના પરિવારજનોને તાત્કાલિક નાણાકીય સહાય અને જરૂરી સહારો પૂરો પાડવો જોઈએ.”
સંસ્થાએ સાથે જ ટાટા ગ્રૂપ દ્વારા મૃતકોના પરિવારજનો માટે જાહેર કરેલા રૂ. 1 કરોડના વળતર અને બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના નવીનીકરણ માટે આપવામાં આવેલી સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ટાટા ગ્રૂપનું હ્રદયસ્પર્શી પગલું: વળતર, સારવાર ખર્ચ અને હોસ્ટેલ નવીનીકરણની જાહેરાત
- મૃતક દરેક વ્યક્તિના પરિવારને રૂ. 1 કરોડની આર્થિક સહાય આપાશે.
- ઈજાગ્રસ્ત મુસાફરોના તમામ તબીબી ખર્ચ ટાટા ગ્રૂપ વહી ભરી લેશે.
- અહિયાં સુધીની શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ ટાટા ગ્રૂપ દ્વારા મદદ કરવામાં આવશે.
- ટાટા ગ્રૂપે ઉમેર્યું હતું કે, “આ મુશ્કેલ સમયમાં અમે દરેક અસરગ્રસ્ત પરિવાર અને સમુદાય સાથે ઊભા છીએ.”
વિમાન દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ
12 જૂન, ગુરુવારના રોજ બપોરે એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઍરપોર્ટથી ઉડાન ભર્યા બાદ માત્ર થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં કુલ 242 મુસાફરો, જેમાંથી 12 ક્રૂ મેમ્બર સહિત બે પાયલટ, સવાર હતા. આ દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિ બચી શકી હતી, જે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
ટાટા ગ્રૂપના તાત્કાલિક પ્રતિસાદ અને IMA જેવી સંસ્થાની આગ્રહભર્યા પત્રથી આશા જાગે છે કે ભારતના ભવિષ્યના હેલ્થકેર વર્ગ માટે યોગ્ય સહાય અને માનવિય સહાનુભૂતિથી ભરેલી કાર્યવાહી કરવામાં આવશે.