ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજારના એકતાનગર વિસ્તારમાં રહેતા ૨૧ વર્ષીય સુલતાન મનસુરઅલી તુરિયાનો મૃતદેહ આજે સવારે મેઘપરથી અંજાર તરફ જતા રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર,C
પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા યુવાનની ઓળખ થઈ હતી. જોકે, સુલતાનનું મૃત્યુ રેલવે અકસ્માતમાં થયું છે કે તેણે આત્મહત્યા કરી છે તે અંગે રહસ્ય ઘેરું બન્યું છે. પીએસઆઈ જી.બી. ગઢવી આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીધામની રામબાગ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાંથી કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.