વિમાની દુર્ઘટના: બ્લેકબોક્સ વિદેશ મોકલવા અંગે હજી કોઈ નિર્ણય નહીં – કેન્દ્ર

વિમાની દુર્ઘટના: બ્લેકબોક્સ વિદેશ મોકલવા અંગે હજી કોઈ નિર્ણય નહીં – કેન્દ્ર વિમાની દુર્ઘટના: બ્લેકબોક્સ વિદેશ મોકલવા અંગે હજી કોઈ નિર્ણય નહીં – કેન્દ્ર

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :  અમદાવાદમાં 12 જૂને સર્જાયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાને આજે આઠ દિવસ વીતી ગયા હોવા છતાં વિમાનનું બ્લેકબોક્સ હજુ વિદેશ મોકલવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકારે ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે આ અંગેનો નિર્ણય એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા તમામ તકનીકી, સુરક્ષા અને ગુપ્તતા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને લેવાશે. હાલમાં AAIB તપાસ કરી રહી છે.

વિમાનમાંથી બે બ્લેકબોક્સ (CVR અને DFDR) મળ્યા છે – એક 13 જૂને અને બીજો 16 જૂને. ફ્લાઇટ AI-171 લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થઇ હતી. ઘટનામાં 241 મુસાફરોના મૃત્યુ થયા અને એક મુસાફર બચી ગયો હોવાના અધિકૃત આંકડાઓ સામે આવ્યા છે.

વધુ DNA મેચિંગ, મૃતદેહોની ઓળખ ઝડપભેર

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 217 મૃતદેહોની ઓળખ DNA ટેસ્ટથી થઈ છે અને 199 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવાયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાંની મોટાભાગને રજા આપવામાં આવી છે અને હવે માત્ર થોડા દર્દીઓ સારવાર હેઠળ છે.

એર ઇન્ડિયાએ વિમાની સલામતી માટે 15% આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં ઘટાડો કર્યો

AI171 દુર્ઘટનાના 6 દિવસ પછી એર ઇન્ડિયાએ વિમાની સલામતી અને તકનીકી તપાસ માટે 20 જૂનથી જુલાઈના મધ્ય સુધી 15% આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું છે કે અસરગ્રસ્ત મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ્સ આપી દેવાશે અથવા તેમને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

આ બાબતોનો વિશ્લેષણ:

  • બ્લેકબોક્સ (CVR/DFDR) હાલ ભારતની લેબમાં જ રાખાયેલ છે.
  • એર ઇન્ડિયા તરફથી વિમાન સંપૂર્ણ રીતે મેન્ટેન હતું એ માહિતી આપવામાં આવી છે.
  • ત્રણ મહિનામાં ઊચ્ચ સ્તરીય સમિતિ તરફથી એક આખરી અહેવાલ પણ રજૂ થવાનો છે.

અત્યારસુધીના તથ્યો:

  • 227માંથી 217 મૃતદેહોની ઓળખ થઈ
  • 318 માનવ અંગોની તપાસ ચાલુ
  • 100 મોબાઈલ ફોન FSLને સોંપાયા
  • દુર્ઘટનાનું બિલ્ડઅપ અને અંતિમ ક્ષણો શોધવાની પ્રક્રિયા ચાલુ
Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *