ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અમદાવાદમાં AI વિમાન ક્રેશની ઘટનાના પગલે એરલાઇન ઓપરેશન્સ પર અસર સતત જોવા મળી રહી છે. શુક્રવારના રોજ એર ઇન્ડિયાએ વધુ 8 ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી. આમાંથી 4 આંતરરાષ્ટ્રીય અને 4 આંતરિક યાત્રાઓનો સમાવેશ થાય છે.
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, આ ફ્લાઇટ્સ ઓપરેશનલ અને મેન્ટેનન્સ સંબંધિત કારણોસર રદ કરવામાં આવી છે.
રદ થયેલી આંતરિક (ડોમેસ્ટિક) ફ્લાઇટ્સ:
This Article Includes
- પુણે થી દિલ્હી: AI874
- અમદાવાદથી દિલ્હી: AI456
- હૈદરાબાદથી મુંબઈ: AI2872
- ચેન્નઈથી મુંબઈ: AI571
રદ થયેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ:
- દુબઈથી ચેન્નઈ: AI906
- દિલ્હીથી મેલબોર્ન: AI308
- મેલબોર્નથી દિલ્હી: AI309
- દુબઈથી હૈદરાબાદ: AI2204
આ રીતે ગયા 8 દિવસમાં કુલ 84 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જે એવિએશન ઇન્ડસ્ટ્રી માટે ગંભીર સંકેતરૂપ છે.
ટેક્નિકલ ખામીઓના વધતા કેસ
ગયા ગુરુવારે દિલ્હીએ એક ગંભીર ઘટનાનો અનુભવ કર્યો હતો. વિયેતનામ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI388 (A320 નિયો) ટેક્નિકલ ખામીના કારણે મધ્યમાં જ દિલ્હી પરત ફરી. ફ્લાઇટમાં 130 મુસાફરો હતા, જેમને સુરક્ષિત ઉતારી દેવામાં આવ્યા.
તે જ દિવસે ગુવાહાટીથી ચેન્નઈ આવી રહેલી ખાનગી એરલાઇનની ફ્લાઇટ ઇંધણના અભાવે બેંગલુરુમાં લેન્ડ કરવી પડી હતી.
ડેલ્હીથી લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ ટેક્નિકલ ખામીના કારણે પાછી ફરતી જોવા મળી. તેની સાથે જ સ્પાઇસજેટની ફ્લાઇટ SG 2696 હૈદરાબાદથી તિરુપતિ જતી હતી, પણ ટેક-ઓફ બાદ 10 મિનિટમાં પાછી આવી.
વધુ ફ્લાઇટ્સ પર અસર
- 18 જૂન: દિલ્હીથી બાલી જતી ફ્લાઇટ AI2145 જ્વાળામુખીના અહેવાલ બાદ પરત બોલાવવામાં આવી
- ટોરોન્ટો થી દિલ્હી: AI188 મેન્ટેનન્સ અને ક્રૂ ડ્યૂટી મર્યાદાને કારણે રદ
- દુબઈથી દિલ્હી: AI996 ટેક્નિકલ ખામીના કારણે રદ – મુસાફરોને ઉતારવામાં આવ્યા