મહાનગરપાલિકા બન્યા બાદ પણ 9બીમાં વિકાસના નામે હેરાન લોકો

મહાનગરપાલિકા બન્યા બાદ પણ 9બીમાં વિકાસના નામે હેરાન લોકો મહાનગરપાલિકા બન્યા બાદ પણ 9બીમાં વિકાસના નામે હેરાન લોકો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ પણ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની નિકાલ વ્યવસ્થાની વાસ્તવિકતા હવે પણ વિફળ હોવાનું ચિતાર દર્શાવે છે. ખાસ કરીને ભારત નગર 9બી વિસ્તારમાં, થોડોક વરસાદ પડતાં જ રોડ પર નદી જેવો દ્રશ્ય સર્જાય છે, જેને કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાન છે.આ વિસ્તાર અગાઉ પણ સત્તાપક્ષના નગરસેવકો હેઠળ રહેેલો હોવા છતાં મૂળભૂત સુવિધાઓમાં કમી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં પણ ન તો યોગ્ય પ્લાનિંગ કરવામાં આવ્યું, ન તો પાણીના નિકાલ માટે પગલાં લેવાયા.


થોડોક જ વરસાદ પડતાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ જાય છે અને રહેણાંક વિસ્તારના લોકો દૈનિક જીવનમાં મુશ્કેલી અનુભવે છે. બાળકોના શાળા જવા માટેના રસ્તા, નોકરીદારોના આવાગમન માટે પણ આ હાલત મુશ્કેલીઓ ઉભી કરે છે.સ્થાનિક ભાજપ પેનલના નગરસેવકો હોવા છતાં પણ, આ વિસ્તારમાં લોકો આજે પણ વર્ષોથી પીડાઈ રહ્યાં છે, જેના લીધે લોકોમાં નારાજગી છે.


આ મુદ્દાને લઈને ગાંધીધામ શહેર મહામંત્રી શ્રી નવીનભાઈ કેઅબચુગે ડેપ્યુટી કમિશનર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી છે અને જણાવ્યું કે, “જ્યારે શહેર મહાનગરપાલિકા બની ગઈ છે, ત્યારે આવા દુર્દશાજનક દ્રશ્યો લોકશાહી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. તાત્કાલિક ધોરણે ડ્રેનેજ અને રસ્તાની વ્યવસ્થા સુધારવી જરૂરી છે.”

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *