ગાંધીધામમાં ૬ ગુજરાત નાવલ એનસીસીની વાર્ષિક તાલીમ શિબિર

ગાંધીધામમાં ૬ ગુજરાત નાવલ એનસીસીની વાર્ષિક તાલીમ શિબિર ગાંધીધામમાં ૬ ગુજરાત નાવલ એનસીસીની વાર્ષિક તાલીમ શિબિર

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :  પૂર્વ કચ્છની એકમાત્ર નાવલ એનસીસી યુનિટ તરીકે કાર્યરત ૬ ગુજરાત નાવલ યુનિટ એનસીસી, ગાંધીધામ દ્વારા યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને રાષ્ટ્રીય ભાવનાનું સિંચન કરવા માટે ભીમાસર ખાતે વાર્ષિક તાલીમ શિબિર (ATC) નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર ૨૦ થી ૨૯ જૂન દરમિયાન અહીર સમાજવાદી કેમ્પસ ખાતે ચાલી રહી છે.

શિબિરનું મુખ્ય લક્ષ્ય કેડેટ્સને નૌસૈનિક જીવનશૈલી અને રાષ્ટ્રીય શિસ્ત સાથે જોડવી છે. આ વર્ષે શિબિર પ્રી-એનએસસી-I સાથે સંયુક્તરૂપે આયોજિત છે, જેમાં ઓલ ઇન્ડિયા નૌસૈનિક કેમ્પ (AINSC) માટે પસંદ થયેલા પ્રતિભાશાળી કેડેટ્સને ઉચ્ચ સ્તરની તાલીમ આપવામાં આવી રહી છે.

શિબિર દરમ્યાન ૨૩મી જૂનના રોજ કેડેટ્સ માટે પાર્લે ઇન્ડસ્ટ્રીઝની ઉદ્યોગિક મુલાકાત યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્પાદન અને પેકેજિંગની પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું અને લોજિસ્ટિક્સ, ગુણવત્તા નિયંત્રણ તથા સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અંગે જાણકારી મેળવી. ઉદ્યોગ નિષ્ણાતો સાથે થયેલા સંવાદ દ્વારા કેડેટ્સને કારકિર્દી વિકાસ માટે પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું.

તેમજ, ડિજિટલ જાગૃતિ અને સાયબર સુરક્ષા વિષયક SBIના વરિષ્ઠ અધિકારી દ્વારા અનલાઇન સત્ર પણ યોજાયું. જેમાં કેડેટ્સને ફિશિંગ એટેક્સ, પાસવર્ડ મેનેજમેન્ટ, અને સિક્યોર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જેવી બાબતોની જાણકારી આપવામાં આવી.

૬ ગુજરાત નાવલ યુનિટ એનસીસી સતત નૈતિક મૂલ્યો સાથે યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ અને નેતૃત્વ ક્ષમતા વિકસાવવાના પ્રયાસોમાં આગળ વધી રહી છે. શિબિર જેવી પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને જવાબદારીના ગુણો ઊંડા ઊંડા વેરવામાં આવી રહ્યા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *