હવે ગુજરાતમાં ભેળસેળ ચલાવી નહીં લેવાય! સરકારે કાયદો બદલીને દંડમાં કરશે 4 ગણો વધારો!

હવે ગુજરાતમાં ભેળસેળ ચલાવી નહીં લેવાય! સરકારે કાયદો બદલીને દંડમાં કરશે 4 ગણો વધારો! હવે ગુજરાતમાં ભેળસેળ ચલાવી નહીં લેવાય! સરકારે કાયદો બદલીને દંડમાં કરશે 4 ગણો વધારો!

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત સરકારે ખોરાકમાં થતી ભેળસેળને અટકાવવા માટે કડક પગલાં ભરવાની તૈયારી કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ખોરાકમાં ભેળસેળ કરનારા વેપારીઓ સામે કાયદામાં સુધારો કરીને દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય નફો કમાવવા માટે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓને સજા કરવાનો છે.


દંડની રકમમાં ધરખમ વધારો

અત્યાર સુધી ખોરાકમાં ભેળસેળ કરવા બદલ 5 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે સરકાર આ રકમને ચાર ગણી વધારીને 20 લાખ રૂપિયા સુધી કરવાનો વિચારી રહી છે. આ ઉપરાંત, ખોરાકની ગુણવત્તા નિયમો મુજબ ન હોય તો 2 લાખ રૂપિયા અને ખોટા બ્રાન્ડિંગ સાથે વેચાણ કરવા બદલ 3 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની પણ જોગવાઈ કરવામાં આવી રહી છે.

Advertisements

નાગરિકો પણ આપી શકશે સૂચનો

સરકારે આ કાયદામાં સુધારા માટે નાગરિકો પાસેથી પણ સૂચનો મંગાવ્યા છે. આગામી 30 દિવસ સુધી, લોકો ઓનલાઈન માધ્યમથી આ સુધારાઓ અંગે પોતાના અભિપ્રાય અને સૂચનો આપી શકશે. જો કોઈ વાંધો ન આવે, તો ટૂંક સમયમાં આ નવા કાયદાનો અમલ થઈ શકે છે. આ પગલાથી લોકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.

Advertisements

સરકારનો સખ્ત વલણ

આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂના વારંવાર ફેલ થતા હોવાથી, સરકારે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. આશા રાખવામાં આવે છે કે દંડની રકમમાં આટલો મોટો વધારો કરવાથી વેપારીઓ ભેળસેળ કરતા પહેલા ગંભીરતાથી વિચારશે. આ નિર્ણય ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને તે રાજ્યમાં ભેળસેળના દૂષણને અટકાવવામાં મદદરૂપ થશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment