આયાતી કોલસા પરનો પ્રતિબંધ હટ્યો, ₹30 કરોડના માલને કંડલા ખસેડવાની મંજૂરી

આયાતી કોલસા પરનો પ્રતિબંધ હટ્યો, ₹230 કરોડના માલને કંડલા ખસેડવાની મંજૂરી આયાતી કોલસા પરનો પ્રતિબંધ હટ્યો, ₹230 કરોડના માલને કંડલા ખસેડવાની મંજૂરી
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ કોમર્શિયલ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા, ₹30 કરોડથી વધુના આયાતી કોલસા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કોર્ટે 40 હજાર મેટ્રિક ટન કોલસાના જથ્થાને કંડલા પોર્ટ ખસેડવાની મંજૂરી આપી છે, જેનાથી એક મોટા વેપારી વિવાદનો અંત આવ્યો છે. ન્યાયાધીશ એમ.બી. પરમારની કોર્ટે ચાર દિવસની સુનાવણી બાદ આ નિર્ણય આપ્યો હતો, જે ભવિષ્યના આંતરરાષ્ટ્રીય વેપારી કેસો માટે એક દાખલો બેસાડશે.

આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે સિંગાપોરની કંપની જે.એસ.ડબ્લ્યુ. ઈન્ટરનેશનલ ટ્રેડર્સ પ્રા. લિ.એ દુબઈ સ્થિત આર્મ્સ એક્સ ટ્રેડિંગ ડીએમસીસી પાસેથી કોલસો ખરીદ્યો હતો. કોલસાનો જથ્થો જામનગરના સલાયા બંદર પર પહોંચ્યા બાદ ખરીદનાર કંપનીએ તેમાં મોટા પથ્થરો અને ધાતુના ટુકડા હોવાનો આરોપ મૂક્યો હતો અને માલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, માલને કંડલા બંદર તરફ ખસેડવાની કાર્યવાહી શરૂ થઈ, જેનો વેચનાર કંપની આર્મ્સ એક્સ ટ્રેડિંગ ડીએમસીસીએ વિરોધ કર્યો હતો.

Advertisements

વેચનાર કંપનીએ ગાંધીધામ કોમર્શિયલ કોર્ટમાં દાવો કર્યો હતો કે ખરીદદાર કંપનીએ બાકી રકમ ચૂકવી ન હોવાથી આ કાર્યવાહી ગેરકાયદેસર છે. આ વિવાદમાં શિપ ઓપરેટર કિયો ટ્રાન્સ-શિપ પ્રા. લિ. પણ સામેલ હતી, જેણે ભાડાની રકમ પર અધિકાર જમાવવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisements

ન્યાયાધીશે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આર્મ્સ એક્સ ટ્રેડિંગ કોર્પોરેશનના દાવાને માન્ય રાખ્યો અને કોલસાના માલને કંડલા તરફ ખસેડવાની મંજૂરી આપી. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો કે પોર્ટ અને કસ્ટમ વિભાગો આ માલના પરિવહનમાં કોઈ અવરોધ ઊભો ન કરે. આ ચુકાદાથી વેપારી કંપનીઓને મોટી રાહત મળી છે અને આંતરરાષ્ટ્રીય વેપારને નવું માર્ગદર્શન મળ્યું છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment