કચ્છમાં શિક્ષણ કથળ્યું : સ્વતંત્ર શાળાની માંગણી અસંતોષાતા 154 વિદ્યાર્થીઓ શાળા છોડી

કચ્છમાં શિક્ષણ કથળ્યું : સ્વતંત્ર શાળાની માંગણી અસંતોષાતા 154 વિદ્યાર્થીઓ શાળા છોડી કચ્છમાં શિક્ષણ કથળ્યું : સ્વતંત્ર શાળાની માંગણી અસંતોષાતા 154 વિદ્યાર્થીઓ શાળા છોડી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા ભારતનગર ગામમાં શિક્ષણની કથળતી પરિસ્થિતિને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્વતંત્ર શાળાની લાંબા સમયથી ચાલી આવતી માંગણી સંતોષાતા ન હોવાથી વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાંથી સામૂહિક રીતે ડ્રોપ આઉટ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના ભાગરૂપે, ૧૫૪ જેટલા વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે અને વાલીઓએ તેમના શાળા છોડ્યાના પ્રમાણપત્રો પણ મેળવી લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતનગરમાં આવેલો પેટા વર્ગ મુખ્ય શાળાથી લગભગ ૨ કિલોમીટર દૂર છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને જર્જરિત ઓરડાઓ અને પતરાના ખુલ્લા શેડ નીચે અભ્યાસ કરવો પડી રહ્યો હતો, જે તેમની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે જોખમી હતું. મુખ્ય શાળામાં ૭૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યારે પેટા વર્ગમાં ૧૫૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જે દર્શાવે છે કે પેટા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવા છતાં તેની અવગણના કરવામાં આવી રહી હતી.

Advertisements

કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ભારતનગરમાં સ્વતંત્ર શાળા બનાવવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યે તેના પર કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આ જ કારણોસર વાલીઓ સરકાર સામે બાંયો ચઢાવી રહ્યા છે અને તેમના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે.

Advertisements

વાલીઓની મુખ્ય માંગણી છે કે સરકાર તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લે અને ભારતનગરમાં નવી સ્વતંત્ર શાળાનું નિર્માણ કરે. જો આ માંગણી સંતોષાશે નહીં, તો વાલીઓએ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઘટના કચ્છમાં શિક્ષણ વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment