ગાંધીધામ-આદિપુરમાં શ્રાવણનો પ્રથમ સોમવાર ભક્તિમય માહોલમાં ઉજવાયો

ગાંધીધામ-આદિપુરમાં શ્રાવણનો પ્રથમ સોમવાર ભક્તિમય માહોલમાં ઉજવાયો ગાંધીધામ-આદિપુરમાં શ્રાવણનો પ્રથમ સોમવાર ભક્તિમય માહોલમાં ઉજવાયો
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીધામ-આદિપુર સંકુલના શિવ મંદિરો ભક્તોથી ઉભરાઈ ગયા હતા. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી, જેઓ ભોલેનાથના દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા.

સમગ્ર વાતાવરણ ‘ઓમ નમઃ શિવાય’ અને ‘બમ બમ ભોલે’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું.

Advertisements
Advertisements

ભક્તોએ શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર, ધતૂરો અને વિવિધ પુષ્પો ચઢાવીને મહાદેવની આરાધના કરી હતી. અનેક મંદિરોમાં વિશેષ ભજન-કીર્તન અને આરતીના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી ભક્તિમય માહોલ વધુ દિવ્ય બન્યો હતો. શ્રદ્ધાળુઓએ શિવજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment