ગાંધીધામ-આદિપુરમાં મેઘ મહેર, લોકોએ ગરમીથી રાહત મેળવી

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હોય તેમ આજે બપોર બાદ ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. લાંબા સમયથી ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. બપોરના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા, અને જોતજોતામાં ગાજવીજ, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

આ વરસાદને કારણે ગાંધીધામ અને આદિપુરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પણ પાણી વહી નીકળ્યા હતા, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ અણધાર્યા વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે, કારણ કે લાંબા સમયથી ચોમાસાના વરસાદની રાહ જોવાઈ રહી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, “વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીથી છુટકારો મળ્યો છે.”

Advertisements
Advertisements

તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment