કેક કાપીને ઉજવણીને બદલે સમરસતાનો સંદેશ: જોષી પરિવારની અનોખી પુત્રજન્મની ઉજવણી

Spread the love
  • આ પરિવારની સરાહનીય પહેલ માત્ર પુત્રજન્મ પૂરતી સીમિત નથી. આ પરિવાર દર વર્ષે દિવાળી જેવા તહેવારની પણ આ જ રીતે કરે છે ઉજવણી
  • બ્રાહ્મણ પરિવારની આ પહેલ ખરેખર સમરસતા અને માનવતાનું પૂરું પાડે છે ઉત્તમ ઉદાહરણ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આધુનિક યુગમાં જ્યાં જન્મદિવસ અને અન્ય શુભ પ્રસંગોની ઉજવણી દેખાદેખી અને કેક કાપીને થતી હોય છે, ત્યાં અંજારના એક પરિવારે સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. રોહન રમેશભાઈ જોષી અને તેમના પરિવારે પોતાના ઘરે પુત્રજન્મની ખુશી હેતુસરની મીઠાઈઓ વહેંચવાને બદલે અંજાર કોળી વાસની પ્રાથમિક શાળાના બાળકોને નાસ્તો કરાવીને આ ખુશીની ઉજવણી કરી.

સામાન્ય રીતે લોકો આવા પ્રસંગોએ સગાં-સંબંધીઓ અને મિત્રોને મીઠાઈઓ વહેંચતા હોય છે, પરંતુ જોષી પરિવારે વિચાર્યું કે આ ખુશીનો લાભ એવા બાળકોને મળવો જોઈએ જેઓ ખરેખર તેના હકદાર છે. આ પહેલથી શાળાના ૧૦૦ જેટલા બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. આ રીતે, જોષી પરિવારે માત્ર પોતાના પુત્રજન્મની ખુશી જ નહીં, પરંતુ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી પણ નિભાવી.

Advertisements

આ પરિવારની સરાહનીય પહેલ માત્ર પુત્રજન્મ પૂરતી સીમિત નથી. આ પરિવાર દર વર્ષે દિવાળી જેવા તહેવારની ઉજવણી પણ આ જ રીતે કરે છે. દિવાળીના પાવન અવસરે તેઓ આ જ શાળાના બાળકોને મીઠાઈઓ આપીને તેમની ખુશીમાં પોતાની ખુશી માને છે. આજના યુગમાં જ્યાં લોકો સ્વકેન્દ્રિત બનતા જાય છે, ત્યાં આ બ્રાહ્મણ પરિવારની આ પહેલ ખરેખર સમરસતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Advertisements

આ પહેલ સમાજમાં એક સકારાત્મક સંદેશ ફેલાવે છે કે સાચી ખુશી ત્યારે જ મળે છે જ્યારે આપણે આપણી ખુશી અન્ય લોકો સાથે, ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો સાથે વહેંચીએ. રોહન જોષી અને તેમના પરિવારની આ પ્રેરણાદાયક પહેલ સમાજના અન્ય પરિવારો માટે પણ અનુકરણીય છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment