ગાંધીધામમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી કચ્છી ભાનુશાલી મહાજન સેવા ટ્રસ્ટ ગાંધીધામ, શ્રી ભાનુશાલી સખી ગ્રુપ-ગાંધીધામ અને કચ્છ આયુર્વેદ એસોસિએશન દ્વારા સંયુક્ત ઉપક્રમે એક નિ:શુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ મંગળવાર, તા. ૨૩-૦૯-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ દરમિયાન અંબોધામ, ભાનુશાલી વાડી, જનતા કોલોની સામે, ગાંધીધામ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા સરકારી આયુર્વેદિક દવાખાના, રામબાગ-ગાંધીધામ દ્વારા પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

Advertisements

કેમ્પમાં ડૉ. મિતલ ઠક્કર, ડૉ. આનંદ દવે, ડૉ. પાર્થ ઠક્કર અને ડૉ. મુકેશ નિનામા સહિતના તબીબોએ પોતાની સેવાઓ આપી હતી. આ કેમ્પમાં પેટના રોગો (ગેસ, એસિડિટી, કબજિયાત), સાંધાના દુખાવા, કમરનો દુખાવો, માઈગ્રેન, શરદી, ઉધરસ, અને દમ જેવી શ્વાસ સંબંધિત તકલીફો સહિત વિવિધ રોગોનું નિદાન અને આયુર્વેદ તેમજ હોમિયોપેથી પદ્ધતિ દ્વારા સારવાર કરવામાં આવી હતી.

Advertisements

ખાસ કરીને ડાયાબિટીસ, મધુપ્રમેહ, પથરી, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર જેવા લાંબા ગાળાના રોગોની પણ તપાસ અને સારવાર થઈ હતી. આ કેમ્પમાં દર્દીઓને નિદાન, સારવાર અને દવાઓ બિલકુલ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી હતી, જેનાથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment