વિજયના જશ્નમાં ગાંધીધામના રસ્તાઓ પર દેખાયો આમ આદમી પાર્ટીનો જુસ્સો

વિજયના જશ્નમાં ગાંધીધામના રસ્તાઓ પર દેખાયો આમ આદમી પાર્ટીનો જુસ્સો વિજયના જશ્નમાં ગાંધીધામના રસ્તાઓ પર દેખાયો આમ આદમી પાર્ટીનો જુસ્સો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : વિસાવદર બાય ઈલેક્શનમાં આમ આદમી પાર્ટીને પ્રાપ્ત થયેલી ઐતિહાસિક અને પ્રચંડ બહુમતીની જીતની ઉજવણીરૂપે પાર્ટી દ્વારા એક ભવ્ય બાઈક વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિજય રેલીનું આગમન અને માર્ગ
ગાંધીમાર્કેટથી શરૂ થયેલી આ રેલી સરદાર પટેલની પ્રતિમા સુધી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જેમાં અગ્રણી આગેવાનો અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા. શહેરમાં વિજયનો ઉત્સાહ અને લોકોને મળેલી સાકાર આશા સ્પષ્ટપણે જોવા મળતી હતી.

ડૉ. કાયનાત અંસારી (પૂર્વ કચ્છ પ્રમુખ) નું નિવેદન:વિસાવદરનો બદલાવ હવે સમગ્ર ગુજરાતમાં લહેર તરીકે ફેલાશે. લોકો હવે ખાલી વચનો નહીં, પણ કામદારી અને જવાબદારી માગે છે. આમ આદમી પાર્ટી એ વિશ્વાસનો વિકલ્પ છે.

વિજય રેલીમાં ઉપસ્થિત અગ્રણીઓ:

  • નિલેશ મહેતા – મહામંત્રી, પૂર્વ કચ્છ
  • ટી. ડી. દેવારિયા – પૂર્વ પ્રમુખ
  • અશ્વિન નાથ – યુવા પ્રમુખ
  • મીનાક્ષી ત્યાગી – મહિલા ઉપપ્રમુખ
  • રાજુ લાખાણી – શહેર પ્રમુખ, ગાંધીધામ
  • રાયસી દેવારિયા – શહેર મંત્રી
  • હિતેશ બદોળિયા – યુવા પ્રમુખ, ગાંધીધામ
  • સંજય સરિયાળા – વાઈસ પ્રેસિડેન્ટ, ગાંધીધામ
  • નિશા દુદાણી – મહિલા પ્રમુખ, ગાંધીધામ
  • રવિ આહિર – તાલુકા પ્રમુખ, અંજાર

સહભાગી કાર્યકરો:
નિલેશ દાફડા, અભિમન્યુ, તરુણ પટેલ, નિલાબેન પરમાર, ઈશ્વર મકવાણા, ગોવિંદ મર્વાડા, દીપ ઠાકર, વિજય આર. દેવારિયા, અને પ્રતીક જે. દેવારિયા.આ વિજય રેલી માત્ર રાજકીય કાર્યક્રમ નહોતી-પણ ગુજરાતમાં વૈકલ્પિક રાજકીય વિચારસરણીના ઊભા થવાના સંકેત તરીકે જોઈ શકાય છે. જનતાનો અભિવાદન મળ્યો છે અને “બદલાવની રાજનીતિ”ની ખંત ગુજરાતના ખૂણે ખૂણે ફેલાઈ રહી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *