ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આજે બપોરે એર ઈન્ડિયાના વિમાનના ક્રેશની ઘટના સમગ્ર ગુજરાતને હચમચાવી ગઈ છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી આ દુર્ઘટનાએ અસંખ્ય જીવલેણ પ્રશ્નો ઉભા કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આજેથી બરોબર 37 વર્ષ અગાઉ, 19 ઓક્ટોબર 1988ના રોજ પણ આવું જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું, જેમાં 133 જણાનો કરૂણ મોત થયા હતા.
1988: ક્રેશ પહેલાંનો ક્રૂર ઇતિહાસ
This Article Includes
સવારના 6:05 વાગ્યે મુંબઈથી ઉડાન ભરેલું ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન, લેન્ડિંગ વખતે Ahmedabadમાં ચિલોડા-કોટરપુર નજીક ધરાશાયી થયું હતું. પ્લેનમાં 135 મુસાફરો હતા, જેમાંથી 133નું ઘટના સ્થળે જ મોત થયું હતું. 2007માં ઇન્ડિયન એરલાઇન્સ અને એર ઇન્ડિયાની મર્જર થઈ ગઈ હતી.
વિમાનના પાઇલટ ઓ.એમ. દલાયા અને કોપાઇલટ દીપક નાગપાલે 6:20 વાગ્યે અમદાવાદ ATCનો સંપર્ક કર્યો હતો. પ્લેન એની ઊંચાઈ ઘટાડી રહ્યું હતું, છતાં રનવે પર લેન્ડ કરવાની મંજૂરી લેવામાં આવી ન હતી. વિઝિબિલિટી ઓછી હોવા છતાં વિમાન 1000 ફીટ નીચે લાવવાની ભૂલ જીવલેણ સાબિત થઈ.
વિમાની સ્થિતિ અને દુર્ઘટનાની તીવ્રતા
વિમાન મુંબઈથી 20 મિનિટ મોડું રવાના થયું હતું અને માત્ર 8 મિનિટમાં આ ભીષણ અકસ્માત થયો. વિમાન નોબલ નગર હાઉસિંગ સોસાયટી નજીક ઝાડ અને વીજ થાંભલાઓ સાથે અથડાયું હતું. કાટમાળ રનવેની હદથી 2.5 કિમી દૂર મળ્યો હતો.
વિમાન 18 વર્ષ જૂનું હતું અને 42,831 કલાક ઉડી ચૂક્યું હતું. તેમાં 129 મુસાફરો (124 પુખ્ત અને 5 બાળકો) અને 6 ક્રૂ સભ્યો સવાર હતા. દુર્ઘટનામાં તમામ ક્રૂ સભ્યો મૃત્યુ પામ્યા હતા.

આ દુર્ઘટનામાં બે મુસાફરો બચી ગયા હતા
પ્રથમ તબક્કે 5 મુસાફરો જીવતા બહાર કઢાયા હતા, પણ સારવાર દરમિયાન ત્રણનું મોત થયું. માત્ર બે વ્યક્તિઓ: અશોક અગ્રવાલ અને વિનોદ ત્રિપાઠી જ જીવતા બચી શક્યા હતા.
બચેલા અશોક અગ્રવાલનું પણ ભેદી અવસાન
વિમાને થી બચેલા અશોક અગ્રવાલનું 2020માં તેમના અમદાવાદ સ્થિત ઘરમાં ભેદી અવસાન થયું હતું. પત્ની આભા અને દીકરી રુહીનું તો ક્રેશ વખતે જ અવસાન થઈ ગયું હતું. મૃતદેહમાંથી દુર્ગંધ આવતાં તેના મૃત્યુની જાણ થઈ હતી. પોલીસને કોઈ શંકાસ્પદ કારણ ન મળ્યું અને ફોરેન્સિક રિપોર્ટ મુજબ તેમનું કુદરતી રીતે મૃત્યુ થયું હોવાનું નોંધાયું.
અગ્રવાલે પ્લેન દુર્ઘટનાને લઈને લાંબા સમય સુધી મેમરી લોસ માટે સારવાર લીધી હતી અને હિપ રિપ્લેસમેન્ટ માટે અમેરિકા પણ ગયા હતા.