ગાંધીધામ ટુડે, ન્યૂઝ : 12 જૂન, 2025ના રોજ બપોરે 1:40 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં Air Indiaની ફ્લાઇટ AI171 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. Air Indiaના CEO કેમ્પબેલ વિલ્સને પુષ્ટિ કરી છે કે અકસ્માતમાં કુલ 275 લોકોના મોત થયા છે, જેમાં 241 મુસાફરો અને પ્લેન ક્રૂ તથા 34 ગ્રાઉન્ડ પરના લોકોનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ ચાલુ છે, તેથી આંકડો વધુ વધી શકે છે.
CEOના ઇમેઇલમાં દુઃખ અને સલામતી માટેની પ્રતિબદ્ધતા
This Article Includes
Air Indiaના CEO કેમ્પબેલ વિલ્સને મહારાજા ક્લબ સભ્યોને મોકલેલા ઇમેઇલમાં દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “આ ભયાનક દુર્ઘટનાથી અમારું હ્રદય ભરી આવ્યું છે. અમે તમામ પ્રભાવિત પરિવારને પૂરેપૂરી મદદ અને ટેકો આપશું.” CEOના મતે, વિમાન અને એન્જિનો જાળવણીમાં હતા અને ફ્લાઈટ પહેલા કોઈ ખામી જણાઈ ન હતી.

ગુજસેલ ખાતે રિસ્ટ્રક્ચર શરૂ, તપાસ માટે પ્લેનના ભાગો સાચવાયા
વિમાનના બચી ગયેલા પાર્ટ્સને હવે ગુજસેલ (GujSAIL) ખાતે લાવવામાં આવી રહ્યા છે. પ્લેનના કાટમાળને અલગ-અલગ ટુકડામાં રાખી, મૂળ માળખું પુનઃસ્થાપિત કરીને ગુરુત્વાકર્ષક તથ્યો શોધવાનું કામ શરૂ થયું છે. મેઘાણીનગરથી દરેક ટુકડો પોલીસ એસ્કોર્ટ સાથે સુરક્ષિત રીતે ખસેડવામાં આવી રહ્યો છે.

કેવી રીતે થાય છે વિમાન દુર્ઘટનાની વૈજ્ઞાનિક તપાસ?
વિમાન દુર્ઘટના બાદ કાટમાળ એકત્ર કરવાથી લઈને તેમાં 3D મોડેલિંગ, બ્લેક બોક્સનું વિશ્લેષણ, કોકપિટ અવાજો અને ઇલેક્ટ્રોનિક ડેટાની સમીક્ષા થાય છે. દરેક ટુકડો તેના મૂળ સ્થાન પ્રમાણે ટેગ અને ફોટોગ્રાફી થાય છે. અહિં સુધી કે વાયરિંગ, એન્જિન ફેલ્યોર, સેન્સર્સની કામગીરી વગેરેનું પણ પરીક્ષણ થાય છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલે છે તપાસ
DGCAની સાથે અમેરિકા અને યુકેની એજન્સીઓ પણ ઘટનાની તપાસ કરી રહી છે. 15 જૂને સ્થળની મુલાકાત લેતી ટીમમાં Boeing કંપનીના ટેકનિકલ નિષ્ણાતો પણ સામેલ હતા. વિમાનના ભાગોને આધારે ક્રેશનું કારણ જાણવા માટે વૈશ્વિક સ્તરે તપાસ ચાલુ છે.