રાજસ્થાનના ચુરુમાં વાયુ સેનાનું જેગુઆર વિમાન ક્રેશ: 2 પાયલટના મોત, સેનાની તપાસ શરૂ

રાજસ્થાનના ચુરુમાં વાયુ સેનાનું જેગુઆર વિમાન ક્રેશ: 2 પાયલટના મોત, સેનાની તપાસ શરૂ રાજસ્થાનના ચુરુમાં વાયુ સેનાનું જેગુઆર વિમાન ક્રેશ: 2 પાયલટના મોત, સેનાની તપાસ શરૂ

ગાંધીધામ ટુડે ન્યુઝ : ચુરુ જિલ્લાના રતનગઢ તાલુકાના ભાનુડા ગામ નજીક બુધવારે સવારે ભારતીય વાયુ સેનાનું જેગુઆર ફાઇટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન ખેતરમાં ક્રેશ થતાં બે પાયલટના ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યા છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આકાશમાં વિશાળ અવાજના ધડાકા બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટા દેખાયા હતા.

દ્રશ્યો ડરાવનારા, ગામ લોકો ઘબરાઈ ગયા

વિમાન દુર્ઘટના થતાની સાથે જ ખેતરોમાં ભારે આગ ફાટી નીકળી હતી. ગ્રામજનોએ આગ બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઘટના સ્થળે તાત્કાલિક કલેક્ટર અભિષેક સુરાણા અને પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા. ત્યાંથી પાયલટ અને કોપાયલટના બર્ન થયેલા મૃતદેહો મળી આવ્યા છે.

Advertisements

સેનાની ટીમ દ્વારા તપાસ શરૂ, કાટમાળ એકત્ર થતો

સૈન્યની બચાવ ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને વિમાનના અવશેષો (ડેબ્રી) એકત્ર કરવાનો કાર્ય શરૂ કર્યું છે. પ્રાથમિક માહિતી મુજબ વિમાન એક વૃક્ષ ઉપર પડતાં તાત્કાલિક ધડાકો થયો હતો અને વૃક્ષ બળીને ખાખ થઈ ગયું હતું. દુર્ઘટનાનું સાચું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

Advertisements

ત્રણ મહિનામાં બીજું જેગુઆર દુર્ઘટનાગ્રસ્ત

મહત્વપૂર્ણ છે કે છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી ઘટના છે, જેમાં જેગુઆર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અગાઉ ગુજરાતના જામનગર ખાતે રૂટિન ટ્રેનિંગ દરમિયાન પણ જેગુઆર વિમાન ક્રેશ થયું હતું. જેમાં એક પાયલટના મોત નીપજ્યા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment