ગાંધીધામમાં સફળતાપૂર્વક યોજાયો એનીમિયા મુક્તિ ફોલો-અપ કેમ્પ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારત વિકાસ પરિષદ (BVP) દ્વારા આયોજિત ‘એનિમિયા મુક્ત ગાંધીધામ’ પ્રોજેક્ટ અંતર્ગત, તાજેતરમાં કે.કે. શુક્લા સ્કૂલ ખાતે એક સફળ ફોલો-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ એનિમિયાથી પીડિત બાળકોને જરૂરી માર્ગદર્શન, સારવાર અને દવાઓ પ્રદાન કરવાનો હતો. આ માહિતી ભારત વિકાસ પરિષદ, ગાંધીધામના પ્રચાર-પ્રસાર સંયોજક રાજેશ લાલવાણી દ્વારા જારી કરવામાં આવી હતી.

કેમ્પમાં જાણીતા તબીબો ડૉ. અર્ચના પટેલ અને ડૉ. ધ્વની ધર્માણી ઠક્કરે સેવાઓ પૂરી પાડી હતી. ડૉ. અર્ચના પટેલે એનિમિયાના કારણો, લક્ષણો અને તેના નિવારણ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે એનિમિયાગ્રસ્ત બાળકોની વ્યક્તિગત તપાસ કરી અને તેમને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કર્યું.

Advertisements

ડૉ. ધ્વની ધર્માણી ઠક્કરે બાળકો અને વાલીઓને આહાર સંબંધિત મહત્વપૂર્ણ સલાહ આપી હતી. તેમણે સરળ અને અસરકારક રીતે સમજાવ્યું કે આયર્નયુક્ત આહાર કેવી રીતે બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના મહેશ ગઢવી અને હિતેશ સાહેબ, BVP પ્રમુખ સુરેશ ગુપ્તા, મહિલા ભાગીદારી જાગૃતિ જેમ્સ ઠક્કર, સુરેશભાઈ ઠક્કર અને રૌનક ઠક્કર સહિતના મહાનુભાવોએ સહયોગ આપ્યો હતો.

Advertisements

આ પ્રશંસનીય પહેલ સાથે, ભારત વિકાસ પરિષદ ‘એનિમિયા મુક્ત ગાંધીધામ’ ના પોતાના ધ્યેય તરફ એક મહત્વપૂર્ણ પગલું આગળ વધ્યું છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment