- પ્રી-એનએસસી-I સાથે સંયુક્ત આયોજન, યુવા કેડેટ્સને રાષ્ટ્રીય સ્તરે શિખર પર પહોંચાડવાનો પ્રયાસ
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ૬ ગુજરાત નૌકાદળ એનસીસી, ગાંધીધામ – પૂર્વ કચ્છની એકમાત્ર નૌકાદળ એનસીસી યુનિટ દ્વારા તારીખ ૨૦ થી ૨૯ જૂન, ૨૦૨૫ દરમિયાન ભિમાસર ખાતે અહિર સમાજવાડીમાં વાર્ષિક તાલીમ શિબિર (ATC)નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ યુવા કેડેટ્સમાં અનુશાસન, નેતૃત્વ અને રાષ્ટ્રગૌરવની ભાવના વિકસાવવાનો છે.
આ વર્ષે શિબિર “પ્રી-એનએસસી-I” સાથે સંયુક્ત રીતે યોજાઈ રહી છે, જેમાં તમામ તેઓ કેડેટ્સને તાલીમ આપવામાં આવી રહી છે જેમણે સર્વભારતીય નૌસૈનિક શિબિર (AINSC) માટે ગુજરાત નિર્દેશાલય તરફથી પસંદગી મેળવી છે.

વિશેષ પ્રવૃત્તિઓ અને મહેમાન પ્રવેશ:
શિબિર દરમ્યાન એનસીસી ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી. શશીએ શિબિરની મુલાકાત લીધી અને ટપર ડેમ ખાતે કન્ટિજન્ટની તૈયારીની સમીક્ષા કરી. કેડેટ્સ સાથે સંવાદ સાધી નેતૃત્વ અને શ્રેષ્ઠ Nation-Level પ્રદર્શન માટે પ્રેરણા આપી.
તદુપરી, ૯૮ આર્ટિલરી બ્રિગેડ, ગાંધીધામની મુલાકાતમાં કેડેટ્સને આધુનિક હથિયાર પ્રણાલીઓ અને યુદ્ધ તકનીકો અંગે માહિતી આપવામાં આવી. આત્મસુરક્ષા વિષયક વિશિષ્ટ સત્ર પણ યોજાયું જેમાં તૃતીય અધિકારી ગિરી ડોંગાએ કેડેટ્સને આત્મવિશ્વાસ અને સજાગતાની તાલીમ આપી.

સકારાત્મક દિશામાં પ્રયાસ:
૬ ગુજરાત નૌકાદળ એનસીસી યુનિટ પોતાના ઉત્તમ તાલીમ કાર્યક્રમો દ્વારા જવાબદાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઊભા કરવાની દિશામાં સતત કાર્યરત છે.