અરાઇઝ ફાઉન્ડેશન ગાંધીધામ મહાનગરપાલિકા સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ

અરાઇઝ ફાઉન્ડેશન ગાંધીધામ મહાનગરપાલિકા સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ અરાઇઝ ફાઉન્ડેશન ગાંધીધામ મહાનગરપાલિકા સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ
Spread the love

ગાંધીધામ: ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓને કરવામાં આવેલા આહ્વાનના ભાગરૂપે, અરાઇઝ ફાઉન્ડેશન તાજેતરમાં મહાનગરપાલિકાની સફાઈ ટીમ સાથે એક વિશેષ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ.

આ સંયુક્ત પ્રયાસમાં, અરાઇઝ ફાઉન્ડેશન અને ગાંધીધામ મહાનગરપાલિકાની સફાઈ ટીમે ગાંધીધામમાં ગાયત્રી મંદિરથી લીલાશાહ સર્કલ સુધીના રસ્તા પરથી એકઠા થયેલા કચરા અને ગંદકીને સાફ કરવા માટે સાથે મળીને કામ કર્યું.

Advertisements

આ પ્રસંગે અરાઇઝ ફાઉન્ડેશનના સ્થાપક ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે, “જો તંત્ર સાચા મનથી કાર્ય કરશે, તો લોકો તેને જરૂર સહકાર આપશે. અમે ફક્ત વિરોધની રાજનીતિ નથી કરતા; જો સરકાર કામ કરશે તો તેને સહકાર પણ જરૂર મળશે. આ માટે અલગ અલગ વિસ્તારના લોકોએ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ આગળ આવી, તંત્ર સાથે મળીને શહેરને સ્વચ્છ બનાવવાની મુહિમ આદરવી જરૂરી છે.” તેમણે વધુમાં કચરો ગમે ત્યાં ન ફેંકીને સહકાર આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

Advertisements

આ સફાઈ અભિયાનમાં ગાંધીધામ મહાનગરપાલિકાની સફાઈ ટીમ સાથે અરાઇઝ ફાઉન્ડેશનના સ્થાપક ડો. કાયનાત અંસારી આથા, ચૈતાલી વસા, મીનાક્ષી ત્યાગી અને આશા અખાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment