કચ્છનાં રણમાં ગુમ થયેલા ઈજનેરનો મૃતદેહ મળ્યો

કચ્છનાં રણમાં ગુમ થયેલા ઈજનેરનો મૃતદેહ મળ્યો કચ્છનાં રણમાં ગુમ થયેલા ઈજનેરનો મૃતદેહ મળ્યો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ: કચ્છના દૂરદરાજના રણપ્રદેશમાં સોલાર પ્રોજેક્ટ માટે ગયેલા અને પાંચ દિવસથી ગુમ થયેલા ઈજનેર અર્નબ પાલ (ઉ.વ. ૫૫)નો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પેદા કરી છે.

અદાણી કંપનીના સોલાર પ્રકલ્પના સર્વે કાર્ય માટે છેલ્લા રવિવારે ઈજનેરો, ટેકનિશિયન અને મજૂરો સહિતનો કાફલો રણ વિસ્તારમાં ગયો હતો. સર્વે દરમિયાન એક ટોળકી એક ગાડીમાં આગળ વધતી રહી, જ્યારે બે વ્યકિત પગપાળા ક્ષેત્ર તપાસ માટે ગયા. ગાડીની શોધખોળ દરમિયાન ઈજનેર અર્નબ પાલ આગળ વધ્યા અને રણના અસીમ અવકાશમાં અચાનક ગુમ થઈ ગયા.

સંગઠિત રીતે શરૂ કરાયેલ શોધમૂહિમમાં બીએસએફ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક પોલીસ અને બી.એસ.એફ.ના વધુ ૧૦૦ જેટલા કર્મચારીઓ રણના વિવિધ વિસ્તારોમાં તલાશી ચાલુ રાખી હતી. અંતે, પાંચમા દિવસે સાંજના સમયે બેલા નજીકના સુકનાવાંઢ રણ વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો.

અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે વધારે તાપમાન અને જળહિનતા કારણે તેમનું મૃત્યુ થયું હોય શકે છે. વધુ તપાસ માટે મૃતદેહને જામનગર ફોરેન્સિક લેબોરેટરી મોકલવામાં આવ્યો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *