ગાંધીધામ ટુડે, ન્યૂઝ : બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સ્ટેટ મોનિટરીંગ સેલમાં પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવી રહેલા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ.વી. પટેલના માતા-પિતાની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક વિગતો અનુસાર, PI પટેલના માતા વર્ધાજી મોતીજી પટેલ અને પિતા હોશીબેન ગત રાત્રે ગામના ખેતરમાં આવેલી પોતાની ઓરડીના આંગણામાં ખાટલાઓ પર સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે તેમની હત્યા કરી નાખી હતી. આ ઘટનાની જાણ થતાં જ આગથળા પોલીસ અને બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.

લૂંટનો ઈરાદો કે અન્ય કોઈ કારણ?
પ્રાથમિક તપાસમાં લૂંટ અને ચોરીના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જોકે, પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ હત્યા ખરેખર ચોરી અને લૂંટના ઈરાદે કરાઈ છે કે પછી લૂંટનો દેખાવ ઊભો કરીને કોઈ અન્ય કારણસર આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.
PI પટેલની તાજેતરની કાર્યવાહી અને સંભવિત કડી
મહત્વપૂર્ણ છે કે, PI પટેલે થોડાક દિવસો અગાઉ માંડવી નજીક આવેલા ત્રગડી ગામે એક રીઢા બુટલેગરના વિદેશી દારૂના અડ્ડા પર દરોડો પાડી લાખોની કિંમતનો શરાબ અને વાહનો જપ્ત કર્યા હતા. આ ઘટનાને પણ આ હત્યા સાથે કોઈ કડી હોઈ શકે છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને હત્યારાઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો કામે લગાડવામાં આવી છે. આ ઘટનાથી PI પટેલના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો કામે લગાડવામાં આવી છે. આ ઘટનાથી PI પટેલના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.