પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી થશે

Chaitri Navratri festival will be celebrated in famous pilgrimage Matanamadh Chaitri Navratri festival will be celebrated in famous pilgrimage Matanamadh

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ લખપત તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી થશે. 29 માર્ચે રાત્રે 9 વાગ્યે ઘટસ્થાપન વિધિ થશે. 30 માર્ચે ચૈત્ર સુદ એકમથી નવરાત્રી પર્વનો આરંભ થશે. 2 એપ્રિલે સવારે 9 વાગ્યે જનોઈ ધારણ વિધિ યોજાશે. 4 એપ્રિલે રાત્રે 9:30 વાગ્યે ગાદી પૂજન, 9:45 વાગ્યે જગદંબા પૂજન અને 10 વાગ્યે હોમ હવન શરૂ થશે. મઢ જાગીર અધ્યક્ષના હસ્તે 1:30 વાગ્યે શ્રીફળ હોમ સાથે પર્વનું સમાપન થશે.

ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં માતાજીના ગરબા યોજાશે. દરરોજ રાત્રે આરતી, પૂજન અને રાસ-ગરબા રમાશે. અશ્વિન નવરાત્રીની જેમ અહીં ચૈત્રી નવરાત્રીની પણ પરંપરાગત ઉજવણી થાય છે. મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવે છે. મંદિર પરિસરમાં મીની મેળાનો માહોલ જોવા મળે છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *