ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યમાં શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતની ભવ્ય ઉજવણી તરીકે યોજાતા પ્રવેશોત્સવનો પ્રારંભ આવતીકાલે તા. 27 જૂનથી સમગ્ર ગુજરાતમાં થવાનો છે. ખાસ કરીને કચ્છના પચ્છમ વિસ્તારમાં આવેલા અંતિમ ગામ “કુરન”માંથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રવેશોત્સવનો શુભારંભ કરાવશે.
પ્રાપ્ત વિગતો મુજબ મુખ્યમંત્રી 27મીના સાંજે કચ્છ પહોંચશે અને ભુજ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના આયોજિત “કચ્છ કાર્નિવલ” કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે રણોત્સવના સમયગાળા દરમિયાન પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આવી કાર્નિવલની ઉપસ્થિતિ આપી હતી. હવે ફરી એકવાર આષાઢી બીજની પૂર્વસંધ્યાએ હમીરસર તટે વિશિષ્ટ કાર્નિવલ યોજાશે.
મુખ્યમંત્રી રાત્રિરોકાણ માટે કુરન જવા તૈયાર છે અને 28મીના દિવસે સ્થાનિક પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવમાં ભાગ લઈ ભુજ પરત ફરશે. તદનંતર તેઓ સિંદૂરવન ખાતે પ્રવાસ કરશે અને રમતગમત સંબંધિત કાર્યક્રમોમાં હાજરી આપી ગાંધીનગર પરત જશે.
મુખ્યમંત્રીના બે દિવસીય પ્રવાસની પૃષ્ઠભૂમિએ વહીવટીતંત્રએ તૈયારીનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ પંચાયતોની ચૂંટણીઓના પરિણામોને લઇ તંત્રની ગતિ વધુતી જોવા મળી રહી છે. રાજ્યપાલ પણ આજે કચ્છમાં હાજર રહ્યા હતા.