ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગે ગુરુવારે કોરોના સંક્રમણના વધુ 6 નવા કેસ નોંધાવાની માહિતી આપી છે, જેના કારણે જિલ્લામાં ફરી ચિંતા ફેલાઈ છે. જિલ્લામાં હાલમાં કુલ 52 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 22 દર્દી સાજા થયા છે અને 30 સક્રિય કેસ હજુ પણ છે.
આજના પોઝિટિવ કેસો નીચે પ્રમાણે છે:
- ભુજ: 56 અને 51 વર્ષીય મહિલા, 70 વર્ષના વૃદ્ધ તથા 29 વર્ષનો યુવાન
- ગાંધીધામ: 28 વર્ષીય યુવાન
- મુન્દ્રા: 27 વર્ષનો યુવાન
સૌભાગ્યે, આજ સુધી કોઈપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત પડેલી નથી. તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઈને શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો જણાય તો તરત પોતાનું ટેસ્ટ કરાવે અને સ્વયં હોમક્વોરેન્ટાઈન થઈ જાય.
જિલ્લા હેલ્થ વિભાગ લોકોમાં જાગૃતિ લાવવા અને વધુ પરીક્ષણ માટેની કામગીરી તેજ કરી રહી છે.