મુંબઈમાં ફરી વધ્યા કોરોના કેસ,આરોગ્ય વિભાગની ચિંતા વધી

મુંબઈમાં ફરી વધ્યા કોરોના કેસ,આરોગ્ય વિભાગની ચિંતા વધી મુંબઈમાં ફરી વધ્યા કોરોના કેસ,આરોગ્ય વિભાગની ચિંતા વધી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાયો છે, જેને લઈ આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના જણાવ્યા મુજબ, શહેરમાં અત્યાર સુધીમાં 53 નવા કોવિડ-19 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 2 દર્દીઓના મોત થયા છે. જો કે, બંને દર્દીઓ પહેલેથી જ ગંભીર રોગોથી પીડાતા હતા — એકને મોઢાનું કેન્સર અને બીજા દર્દીને કિડનીની સમસ્યા હતી.

BMC આરોગ્ય વિભાગે કહ્યું છે કે મે 2025થી કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે જાન્યુઆરીથી એપ્રિલ 2025 દરમિયાન કેસોની સંખ્યા બહુ ઓછી હતી. વૃદ્ધિમાન કેસોને ધ્યાનમાં રાખી હોસ્પિટલોમાં ખાસ રૂમ અને પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ સતત હાલત પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને ન ગભરાવાની અપીલ કરી છે.

કોવિડના સામાન્ય લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, માથાનો દુખાવો, શરદી અને સ્વાદ કે ગંધ ન આવવી જેવી સમસ્યાઓ સામેલ છે. ગંભીર સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, જે તાત્કાલિક સારવાર માંગે છે.

BMCએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ લક્ષણો જણાય તો તરત નજીકની હોસ્પિટલ, ક્લિનિક અથવા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરો અને જરૂરી સાવચેતી અપનાવો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *