દેશમાં કોરોનાના કેસોમાં ફરી વધારો કેસનો આંકડો 3,700ને પાર !

દેશમાં કોરોનાના કેસોમાં ફરી વધારો કેસનો આંકડો 3,700ને પાર ! દેશમાં કોરોનાના કેસોમાં ફરી વધારો કેસનો આંકડો 3,700ને પાર !

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :દેશમાં ફરીથી કોરોના વાયરસના કેસો વધવા લાગ્યા છે. રવિવારે સવારે 8 વાગ્યા સુધી આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર, દેશમાં સક્રિય કોવિડ-19 કેસોની સંખ્યા 3,395થી વધીને 3,758 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 363 નવા ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે, જ્યારે 1,818 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.

મહત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 4 લોકોના મોત થયા છે, જેને લઈને કુલ મૃત્યુઆંક 28 પર પહોંચી ગયો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, કર્ણાટકમાં 63 વર્ષીય વૃદ્ધનો કોરોનાના કારણે અવસાન થયું છે. તેઓ પહેલાથી જ અન્ય ગંભીર બીમારીઓથી પીડાતા હતા. બીજી તરફ, કેરળમાં 24 વર્ષીય યુવતિનું પણ ચેપના કારણે મૃત્યુ થયું છે.

રાજ્યવાર જોવામાં આવે તો, કેરળમાં સૌથી વધુ 1,400 સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં 485, દિલ્હીમાં 436, ગુજરાતમાં 320, પશ્ચિમ બંગાળમાં 287 અને કર્ણાટકમાં 238 સક્રિય કેસ નોંધાયા છે. ઉપરાંત, તમિલનાડુમાં 199 અને ઉત્તર પ્રદેશમાં 149 સક્રિય કેસની માહિતી મળી છે.

ICMR અને આરોગ્ય તંત્ર દ્વારા જણાવી દેવામાં આવ્યું છે કે ચેપની તીવ્રતા ઓછી છે અને મોટાભાગના દર્દીઓ ઘરમાં ક્વોરેન્ટાઇનમાં રહી સારવાર લઈ રહ્યા છે. તેમ છતાં, લોકોમાં બીક ફેલાવવાની જરૂર નથી પણ જરૂરિયાત મુજબની તકેદારી રાખવી અનિવાર્ય છે.

આગામી સમયમાં વધુ કેસો વધે તેવી શક્યતા હોય શકે છે, તેથી સરકાર અને આરોગ્ય વિભાગ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ICMRએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જરુરી સાવચેતી રાખે, માસ્ક પહેરે અને જરુર હોય ત્યાં જ ભીડભાડ વાળા વિસ્તારોમાં જાય.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *