ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુર બસ સ્ટેન્ડ ખાતે વધતી જતી દૈનિક ગતિવિધિઓ અને વાહનોની અવરજવરને ધ્યાનમાં રાખીને, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે નવી ટ્રાફિક પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકો અને રાહદારીઓની સલામતી વધારવાનો છે.

આ નવી ચોકીમાં પોલીસ અને ટીઆરબીના જવાનો હાજર રહેશે, જેઓ ટ્રાફિક નિયંત્રણ અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે. આ ઉપરાંત સ્થાનિક લોકોની રજૂઆતો પણ અહીં સ્વીકારવામાં આવશે. આ ચોકીના નિર્માણથી બસ સ્ટેશન વિસ્તારમાં બનતા નાના-મોટા ગુનાઓ અને વાહન ચોરીના બનાવો પર અંકુશ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ પગલું ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.