ગાંધીધામમાં ભૂકંપ : DPAનો મોટો નિર્ણય, વેપારીઓમાં ફફડાટ!

ગાંધીધામમાં ભૂકંપ : DPAનો મોટો નિર્ણય, વેપારીઓમાં ફફડાટ! ગાંધીધામમાં ભૂકંપ : DPAનો મોટો નિર્ણય, વેપારીઓમાં ફફડાટ!

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ટાગોર રોડ અને રામબાગ રોડ પરના વેપારીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) એ સબ-લેસર રેગ્યુલેટરી કમિટી (SRC) ને આપેલો હોલ્ડ હટાવી લીધો છે, જેનો અર્થ છે કે SRC હવે લીઝ ડીડ મુજબ આગળની કાર્યવાહી કરી શકશે.

અગાઉ, DPA એ SRC ને સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક ન થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, આ બેઠક થઈ નથી અને હવે DPA એ તે હોલ્ડ પણ પાછો ખેંચી લીધો છે. પોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે SRC એ લીઝ ડીડમાં દર્શાવ્યા મુજબ, ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી (GDA) ની પરવાનગી વિના ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. આનો અર્થ એ છે કે SRC ને લીઝ રદ કરવા અથવા નોટિસ આપવાની ફરીથી છૂટ મળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ SRC 61 સબ-લીઝ રદ કરી ચૂક્યું છે અને 300 થી વધુ પ્રોપર્ટીને નોટિસ આપી ચૂક્યું છે. ત્યારબાદ થયેલા હોબાળાને કારણે DPA એ સ્ટેકહોલ્ડર્સ સાથેની બેઠક ન થાય ત્યાં સુધી કાર્યવાહી રોકવાનો આદેશ આપ્યો હતો. જોકે, ગઈકાલે પોર્ટે આ હોલ્ડ ઉઠાવી લીધો છે અને SRC ને લીઝ ડીડ મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું છે.

બીજી તરફ, અરમાયા સહિતની 15 પાર્ટીઓએ આ મામલે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ ન્યાયાલયે આદેશ માટે આગળની તારીખ આપતાં પક્ષકારોમાં નિરાશા વ્યાપી હતી. આ ઘટનાને પગલે ટાગોર અને રામબાગ રોડ પર દુકાનો બંધ થવાની શરૂઆત થઈ ગઈ છે, અને લીઝ મુદ્દે ફરીથી સંઘર્ષ થવાની ભીતિ સેવાઈ રહી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *