ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા વર્ષ 2020-2021 માટે જાહેર કરાયેલા સાહિત્ય પુરસ્કારોમાં કચ્છના બે યુવા લેખકોને પસંદગી મળી છે. અજય સોનીની નવલકથા ‘કોરું આકાશ’ અને રાકેશ પટેલના નિબંધસંગ્રહ ‘રણ વન દરિયો’ને શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ કરી પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે.
અંજારના અજય સોનીને નવલકથામાં પારિતોષિક
અંજારના યુવા સાહિત્યકાર અજય સોનીની કૃતિ કોરું આકાશને નવલકથા વિભાગમાં શ્રેષ્ઠ પુસ્તકનો પારિતોષિક જાહેર થયો છે. ટૂંકા ગાળામાં સાહિત્ય ક્ષેત્રે અગ્રેસર બનેલા અજય સોનીના પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને દિલ્હી સાહિત્ય અકાદમી સહિત વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા માન્યતા મળી ચૂકી છે. તેઓ કચ્છમિત્રના નિયમિત કટારલેખક રહી ચૂક્યા છે.
રાકેશ પટેલના ‘રણ વન દરિયો’ને નિબંધ પુરસ્કાર
નિબંધ વિભાગમાં રાકેશ પટેલના નિબંધસંગ્રહ રણ વન દરિયોને ઉપેન્દ્ર પંડ્યા પારિતોષિક માટે પસંદ કરાયું છે. રાકેશ પટેલે નિબંધસર્જન દ્વારા સામાજિક, સાહિત્યિક અને પ્રાકૃતિક વિષયોને સ્પર્શતા લેખન દ્વારા પ્રસિદ્ધિ મેળવી છે. તેઓ પણ કચ્છમિત્રમાં નિયમિત નિબંધ લેખન કરતા રહ્યા છે.
નિષ્ણાતોની પસંદગી અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ
ગુજરાતી સાહિત્ય પરિષદે જાહેર કરેલી યાદી અનુસાર નવલકથા વિભાગમાં કિશોરસિંહ સોલંકી અને નિબંધ વિભાગમાં યશોધર રાવલે નિર્ણયક તરીકે સેવા આપી હતી. બંને વિજેતા લેખકોને નગદ રકમ અને પ્રમાણપત્ર સાથે જાહેર કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.