ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારતના લોકશાહી ઇતિહાસમાં 25 જૂન 1975નો દિવસ કાળો અધ્યાય ગણાય છે. તે સમયે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પદ બચાવવા માટે આપાતકાલ ઘોષિત કરીને સંવિધાનની જ હત્યા કરી નાખી હતી. આ પચાસમી વરસી નિમિત્તે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા “સંવિધાન હત્યા દિવસ” તરીકે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે – “આપાતકાલ દરમિયાન પ્રેસની આઝાદી છીનવાઈ, હજારો લોકોના મૌલિક અધિકારો છીનવાઈ ગયા અને આખા દેશમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાસન છે જે સંવિધાનના મૂલ્યોને સાચવે છે, મહાન આગેવાનોનું સન્માન કરે છે અને લોકશાહીને મજબૂત કરે છે.”
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કહ્યું કે – “આજની પેઢી માટે આપાતકાલના દુઃખદ દિવસોનો અભ્યાસ કરવો અત્યંત આવશ્યક છે. આ કાર્યક્રમનું હેતુ પણ એ જ છે કે યુવાનો જાગૃત થાય અને લોકશાહી માટે ચેતાંક બને.”
મહાનગરપાલિકાના ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈએ ઇતિહાસની મહત્વતા વર્ણવી હતી અને જણાવ્યુ કે – “આ તારીખ રાજકીય રીતે ભૂલવા જેવી નથી. લોકશાહી અને સંવિધાનના મૂલ્યો માટે અડગ રહેવું જોઈએ.”
આ પ્રસંગે મિશા હેઠળ ધરપકડ થયેલા શ્રી પ્રતિભાભાઈ રૂપારેલનું વિશેષ સન્માન પણ કરાયું હતું, જેમણે આપાતકાલ દરમિયાન દેશ માટે લડી હતી.

મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત:
- જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા
- કચ્છ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ
- ધારાસભ્યો: કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે
- ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય
- પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા, રમેશભાઈ મહેશ્વરી
- શહેર પ્રમુખ વિજયભાઈ પરમાર, મંત્રી વસંતભાઈ કોડરાણી
- જી.ડી.એ.ના પૂર્વ ચેરમેન મધુકાંતભાઈ શાહ
- અધિકારીઓ: કમિશનર સંજય રામાનુજ, લેબર કમિશ્નર સિહોરા, મામલતદાર જય.એસ.સિંધી, ડો. દિનેશ સુથારિયા વગેરે
કાર્યક્રમ સંચાલન: હિતેશભાઈ ખંડોરે
આભાર વિધિ: હેમંતભાઈ શાહ
સંઘટન સેવા: શહેર પ્રમુખ વિજયભાઈ પરમાર, મહેમાન મહેન્દ્રભાઈ જુણેજા, મનોજભાઈ મુલચંદાણી
જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ : સાત્વિકદાન ગઢવી