ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અમદાવાદ શહેરના મેઘાણીનગર સ્થિત આઈજીપી હાઉસિંગ કમ્પાઉન્ડમાં આજે બપોરે ભારત માટે એક ભયાનક દુર્ઘટના બની. એર ઈન્ડિયાનું ફ્લાઈટ નં. 171-B, જે બોઇંગ વિમાન હતું, તે બપોરે 1:38 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયા બાદ માત્ર 2 મિનિટમાં બિલ્ડિંગમાં જઈ અથડાયું.
- વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન
વિજય રૂપાણીની પ્લેન ક્રેશ પહેલાંની અંતિમ તસવીર સામે આવી

- મોદીએ X પર લખ્યું: “નિ:શબ્દ કરી દેતી દુર્ઘટના“

- બ્રિટનના પીએમએ X પર દુ:ખ વ્યકત કર્યું

મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોની


દુર્ઘટનાની વિગત:
This Article Includes
- વિમાન સીધું સિવિલ હોસ્પિટલના ડોક્ટરો માટેના રહેણાંક બિલ્ડિંગ પર તૂટી પડ્યું.
- અથડામણ બાદ ઘનઘોર ધૂમાડા અને આગની જ્વાળાઓ દૂર સુધી દેખાઈ.
- સમગ્ર વિસ્તારમાં ભયભીત અને અફરાતફરીની સ્થિતિ સર્જાઈ.
- ઘટના બાદ BSF, પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમો તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ.

બચાવ અને રાહત કામગીરી:
- અત્યાર સુધીમાં 50 મૃતદેહો મળી આવ્યા છે, જે પૈકી ઘણાં સળગેલી હાલતમાં છે.
- NDRF સહિત બચાવ દળો સતત રાહત કામગીરીમાં જોડાયેલા છે.
- વડોદરામાંથી 25 ફાયર ઈંજિન્સ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે.
- સોલા સિવિલ હોસ્પિટલમાં ઘાયલ અને મૃતદેહોને લાવવામાં આવી રહ્યા છે.
પાઇલટ અને ફ્લાઇટની માહિતી:
- પાઇલટ સુમિત સુબ્બરવાલે “મેડે” કોલ કર્યો હતો – જે આંતરરાષ્ટ્રીય કટોકટી સંકેત છે.
- પાઇલટ પાસે 8200 કલાકની ઉડાનનો અનુભવ, જ્યારે કોપાયલોટે 1100 કલાક ઉડાન ભરી હતી.
- વિમાનમાં 200 મુસાફરો, 10 ક્રૂ સભ્યો, અને 8 વિદેશી નાગરિકો (7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન) સવાર હતા.
તાત્કાલિક પગલાં:
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “યુદ્ધના ધોરણે” રાહત કામગીરી શરૂ કરવાનું આદેશ આપ્યો છે.
- મુખ્ય સચિવ પંકજ જોશી અને અન્ય અધિકારીઓને ગ્રીન કોરીડોર અને સારવારની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી.
- ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે વાતચીત કરીને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.
બી.જે મેડિકલ મેસની તસવીરો

