ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લાના આદિપુર ખાતે નરેન્દ્ર મોદી વિચારો મંચ – મહિલા શાખા દ્વારા સંસ્થાનો સ્થાપના દિવસ ભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ મૃતકો માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ અવસરે બ્રહ્માકુમારી ઈશ્વરિય વિદ્યાલયના સાનિધ્યમાં ધાર્મિક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત નવી બહેનોને મહિલા શાખામાં નિયુક્તિ પત્રો આપી, તેમની જવાબદારી સોંપવામાં આવી હતી.

કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ભારતી દીદીએ આશીર્વચન આપતાં નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિક વિકાસ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાની પ્રમુખ શ્રીમતી મિનલબેન જાની, મંત્રી શ્રીમતી શિલ્પાબેન ગૌર, કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ એફ. જાડેજા અને કચ્છ જિલ્લા મહિલા શાખાની પ્રમુખ શ્રીમતી કુંવરબેન મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિ રહી હતી અને સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ શ્રદ્ધાંજલિ, આધ્યાત્મિક વિમોચન અને સંગઠનના વિસ્તરણથી સમૃદ્ધ રહ્યો.