લીઝ રદ્દીકરણ મુદ્દે ગાંધીધામ ચેમ્બરની એસ.આર.સી. અને ધારાસભ્ય સાથે બેઠક

લીઝ રદ્દીકરણ મુદ્દે ગાંધીધામ ચેમ્બરની એસ.આર.સી. અને ધારાસભ્ય સાથે બેઠક લીઝ રદ્દીકરણ મુદ્દે ગાંધીધામ ચેમ્બરની એસ.આર.સી. અને ધારાસભ્ય સાથે બેઠક

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં લીઝ રદ્દીકરણના મહત્વપૂર્ણ મુદ્દે આજ સવારથી જ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળે સક્રિયતા દાખવી છે. પ્રતિનિધિમંડળે એસ.આર.સી.ના ડિરેક્ટરો, જનરલ મેનેજર તેમજ અન્ય અધિકારીઓ સાથે એક સંયુક્ત બેઠક યોજીને આ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

બપોર પછી, પ્રતિનિધિમંડળે ગાંધીધામ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને આ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આ બેઠકમાં પણ લીઝ રદ્દીકરણના મુદ્દા પર સકારાત્મક ચર્ચા થઈ હતી.

ચેમ્બર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંને બેઠકોમાં પ્રતિનિધિમંડળને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને આ સમસ્યાનો જલ્દી જ ઉકેલ આવવાની સંભાવના છે. વધુમાં, ચેમ્બરે માહિતી આપી છે કે આવતીકાલે તેઓ કચ્છના માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને પણ મળીને આ મુદ્દે ચર્ચા કરશે.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તમામ પ્રજાકીય પ્રતિનિધિઓ, આદરણીય સાંસદ, ધારાસભ્ય અને જીસીસીઆઈ આ મામલાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેનો ઉકેલ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ચેમ્બર દ્વારા વેપારીઓને નિયમિત રીતે આ અંગેની પ્રગતિથી અવગત કરાવવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *