ગાંધીધામ કોર્પોરેશનની મોટી સિદ્ધિ: 21 દિવસમાં 1.21 કરોડની મિલકત વેરો વસૂલ્યો

Gandhidham Corporation's big achievement: Property tax worth Rs 1.20 crore collected in 21 days Gandhidham Corporation's big achievement: Property tax worth Rs 1.20 crore collected in 21 days

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ કોર્પોરેશને નવા નાણાંકીય વર્ષમાં વેરા વસૂલાતની કામગીરી સારી રીતે શરૂ કરી છે. એપ્રિલ મહિનામાં બિલ જનરેટ થયા બાદ પ્રથમ ૨૧ દિવસમાં મિલકત વેરામાં ૧૦ ટકાની રાહતનો લાભ મળતાં ૧.૨૧ કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે. આ ઉપરાંત, કોર્પોરેશનને વ્યવસાય વેરા પેટે અંદાજે ૫૫ લાખ રૂપિયાની આવક પણ થઈ છે.

નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ કોર્પોરેશન દ્વારા તેના અંદાજે ૬૨,૦૦૦ થી વધુ મિલકત ધારકો પાસેથી યોગ્ય રીતે વેરો વસૂલવા માટે આયોજન કરવામાં આવ્યું છે. વહીવટદાર આનંદ પટેલની સૂચના અને કમિશનર મિતેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એપ્રિલ મહિનામાં મિલકત વેરા પર ૧૦ ટકાની રાહત મળવાને કારણે મોટી સંખ્યામાં કરદાતાઓએ વેરો ભરવામાં રસ દાખવ્યો હતો. જેના પરિણામે ૩૧.૨૦ લાખ રૂપિયાના વળતર સાથે ૧.૨૧ કરોડની આવક થઈ છે. કોર્પોરેશન દ્વારા હજુ પણ વેરો ભરવા માટે કરદાતાઓને અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે ૧૦ ટકાની રાહતનો લાભ લેવાની તક હજુ પણ ઉપલબ્ધ છે.

વ્યવસાય વેરાની વાત કરીએ તો, કોર્પોરેશનને એપ્રિલ મહિનામાં આશરે ૫૫ લાખ રૂપિયાની આવક થઈ છે. વેપારીઓ અને અન્ય કરદાતાઓને બાકી વેરા અંગે જાણ કરવામાં આવતા આ આવક શક્ય બની છે. ગયા નાણાંકીય વર્ષના એપ્રિલ મહિનામાં કોર્પોરેશનની કુલ આવક ૪૮.૮૫ કરોડ રૂપિયા હતી, અને આ વર્ષે વધુ સારી કામગીરી જોવા મળી રહી છે. ગત વર્ષે કોર્પોરેશને ૫.૪૭ કરોડ રૂપિયાનો વેરો વસૂલ્યો હતો, અને આ વર્ષે ૬ કરોડ રૂપિયા સુધી વસૂલાત કરવાનો લક્ષ્યાંક છે, જેના માટે કોર્પોરેશન સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *