ગાંધીધામ અને આદિપુરમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી

ગાંધીધામ અને આદિપુરમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી ગાંધીધામ અને આદિપુરમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુર શહેરમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર, શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિવિધ મંદિરોમાં દર્શન અને પૂજન અર્ચનમાં જોડાયા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત સ્વામી લીલાશાહ કુટિયાના ગાદીપતિ મહંત પૂજ્ય ગુરુજનોના દર્શન અને પૂજનનો પણ સમાવેશ થતો હતો, જ્યાં સૌએ સંતો અને મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ અગ્રણીઓએ ગુરુ પૂર્ણિમાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને ગુરુના આશીર્વાદ જીવનમાં શાંતિ અને પ્રગતિ લાવે છે તેવું જણાવ્યું હતું.

Advertisements

ભારતીય જનતા પાર્ટી, ગાંધીધામ શહેર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા, જેમણે ગુરુ ભક્તિનો મહિમા વ્યક્ત કર્યો હતો.

Advertisements

આ ઉજવણી શહેરભરમાં આધ્યાત્મિક અને ધાર્મિક વાતાવરણથી છવાઈ ગઈ હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment