ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ઘોલથીર નજીક આવેલા બદ્રીનાથ હાઈવે પર આજે સવારે એક ટ્રાવેલ્સ બસનો ભયાનક અકસ્માત થયો હતો. યાત્રાળુઓને લઈ જઈ રહેલી આ ટ્રાવેલ્સ બસ સીધી અલકનંદા નદીમાં ખાબકી હતી. અકસ્માતમાં ત્રણ યાત્રીઓના મોત થયા છે, જેમાં સુરતના સોની પરિવારની 17 વર્ષીય પુત્રી ડ્રીમી સોનીનો પણ સમાવેશ થાય છે.
આ બસમાં કુલ 20 લોકો મુસાફરી કરી રહ્યા હતા. પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ, 3 લોકોના મોત થયા છે, 8 ઘાયલ થયા છે અને 9 લોકો હજુ ગુમ છે. મૃતકોની સંપૂર્ણ યાદી હજુ જાહેર કરવામાં આવી નથી.
મૃતકમાં સુરતના પર્વત પાટિયા ખાતે રહેતા અને ‘વિધાતા જ્વેલર્સ’ના માલિક ઈશ્વર સોનીનો પરિવાર પણ સામેલ હતો. ઈશ્વરભાઈ તેમની પત્ની ભાવના, પુત્ર ભવ્ય, અને પુત્રીઓ ચેષ્ટા અને ડ્રીમી સાથે ઉત્તરાખંડ યાત્રાએ નીકળ્યા હતા. દુર્ઘટનામાં ડ્રીમીનું દુ:ખદ અવસાન થયું છે, જયારે પરિવારના અન્ય સભ્યોની હાલત અંગે હજુ પુષ્ટિ મળવી બાકી છે.
NDRF ત્યાંથી તેઓ ટ્રાવેલ્સ દ્વારા ઉત્તરાખંડ યાત્રા માટે નીકળ્યા હતા. દુર્ઘટના વખતે ટ્રાવેલ્સ ટ્રિપ રુદ્રપ્રયાગ તરફ આગળ વધી રહી હતી.
દિવ્ય ભાસ્કરે ડ્રીમીની ફ્રેન્ડ દિયા નિકમ સાથે ખાસ વાતચીત કરી હતી. દિયાએ જણાવ્યું કે, “ડ્રીમી મારી સબંધોની ખૂબ નજીક હતી, અમે સાથે કોલેજ પણ જતાં. જ્યારે સમાચાર મળ્યા કે તે હવે નથી, ત્યારે વિશ્વાસ જ નહોતો થયો.”
બસમાં અન્ય યાત્રીઓમાં ભાવનાબેનના ભાઈ લલિતભાઈ, ભાભી હેમાબેન અને તેમની પુત્રીઓ મૌલિક અને મયૂરી પણ હતા. તેમનાં અન્ય બે સંતાન – પુત્ર રાજન અને પુત્રી દિયા હાલમાં સુરતમાં જ છે.
અધિકારીક સ્તરે બચાવ કામગીરી ચાલુ છે અને ગુમ થયેલા યાત્રીઓની શોધખોળ માટે NDRFની ટીમો સક્રિય છે. ઉત્તરાખંડ સરકારે તપાસના આદેશ આપ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર પણ સતર્ક છે.