ગાંધીધામ ટુડે, ન્યૂઝ: રાજ્યના પોલીસ વડાની સૂચના અનુસાર સમગ્ર ગુજરાતમાં કુખ્યાત આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અનુસંધાને અંજારના વીડી રોડ પર રોટરીનગર વિસ્તારમાં રહેતા કુખ્યાત ગુનેગાર મુસ્તાક ઉર્ફે મુસીયો નજમુદ્દીન બાયડે પોતાની રૂ. 22.03 લાખની કિંમતની ગેરકાયદેસર મિલકત જાતે તોડી પાડી છે.
અંજાર પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, મુસીયા વિરુદ્ધ ખૂનની કોશિશ, રાયોટિંગ, મારામારી, પ્રોહિબીશન સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. રાજ્યના પોલીસ વડા અને પૂર્વ કચ્છ પોલીસ વડા શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તેના જેવી ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા શખ્સોની ઓળખ કરી, તેમની ગેરકાયદેસર મિલકત અને વીજ જોડાણો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પગલાંથી ડરીને મુસીયાએ અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ (આડા) હસ્તક આવેલી જમીન પર પોતાના ઉપયોગ માટે બાંધેલું ગેરકાયદેસર મકાન જાતે તોડી નાંખ્યું. આ મિલકતની અંદાજીત કિંમત મુજબ બાંધકામ રૂ. 6,00,000 તથા પ્લોટનું મૂલ્ય રૂ. 16,03,800 થાય છે, જે કુલ મળી રૂ. 22,03,800 જેટલી થાય છે.
પોલીસની કડક કામગીરીને કારણે કુખ્યાત ગુનેગારોમાં હલચલ મચી છે અને અનેક તત્વો પોતે જ પોતાના ગેરકાયદેસર ધંધા અને મિલકતોમાંથી હાથ ઝાલી રહ્યાં છે. અંજાર પોલીસ દ્વારા આવિર્વત કાર્યવાહીઓ સતત ચાલુ રહેશે તેવો સંકેત પણ મળી રહ્યો છે.