આદિપુરમાં શ્રી કૃષ્ણ કોલેજીયન ગ્રુપ અને ABVP દ્વારા જન્માષ્ટમીની ઉજવણી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુર સ્થિત શ્રી કૃષ્ણ કોલેજીયન ગ્રુપ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા સતત દસમા વર્ષે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ (શ્રાવણ વદ-૩, મંગળવાર) ના રોજ, ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ પરમાત્માના અવતરણ દિવસના શુભ પ્રસંગે મટકી ફોડ અને ભવ્ય રાસોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન થયું હતું.


લોકગાયિકા ભૂમિબેન આહિરના સથવારે ૨૦૦૦ વિદ્યાર્થીઓનો ઉત્સાહ

આ ધાર્મિક ઉત્સવમાં પ્રખ્યાત લોકગાયિકા ભૂમિબેન આહિર એ પોતાના સુમધુર કંઠે સંગીતમય માહોલ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં આશરે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા, જે તેમની શ્રદ્ધા અને ઉત્સાહનું પ્રતિક હતું.

Advertisements

મહાનુભાવો અને ઉદાર દાતાઓનો સક્રિય સહયોગ

આ કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, શ્રી રામ ગ્રૂપના બાબુભાઈ હુંબલ, પડાણાના પૂર્વ સરપંચ વાઘજીભાઈ હુંબલ, મહેશભાઈ ચૈયા, સુમિતભાઈ હુંબલ, દિપેશભાઈ સોરઠીયા, અને હરીશભાઈ બાબરીયા જેવા અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી શોભા વધારી હતી.

આયોજનને સફળ બનાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શામજીભાઈ કાનગડ, બાબુભાઈ હુંબલ, શામજીભાઈ તેજાભાઈ આહીર, ભાવેશભાઈ ચાવડા, કિરણભાઈ ખટારિયા, રાજભાઈ મરંડ, RKT ગ્રૂપ, નારણભાઈ બોરીચા, બાબુભાઈ ચૈયા, રાધુભાઈ ચૈયા, વાઘજીભાઈ હુંબલ, ઘેલાભાઈ વરચંદ અને સ્ટુડિયો નવદુર્ગાના શંભુભાઈ આહિર જેવા ઉદાર દાતાઓ દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.

Advertisements

ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ સમાપ્તિ

સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો, જે આયોજકો અને સહભાગીઓ માટે એક યાદગાર અનુભવ બની રહ્યો.


Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment