ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ યાત્રીઓના મૃત્યુને પગલે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રાધા સિંહ ચૌધરીએ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડતા પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કલ્પનાબેન જોષીએ જણાવ્યું હતું કે, નિર્દોષ ભારતીય લોકો ક્યાં સુધી આ પ્રકારની હિંસા સહન કરશે? તેમણે કેન્દ્ર સરકારને આકરા પગલાં લેવાની ટકોર કરતાં જણાવ્યું હતું કે, હવે એકના બદલે દસ માથાં લાવવાનો સમય આવી ગયો છે.
આ કાર્યક્રમમાં રાધાસિંહ ચૌધરી, કલ્પનાબેન જોશી ઉપરાંત શેરબાનુબેન, કિરણબેન પોકાર, ઉમાબેન શૈની, બેલાબેન આચાર્ય, જુમાબેન, સીમાબેન, સુષ્માબેન, બિંદુબેન, ગાયત્રીબેન, રોશન બેન, ઉમાબેન, રતનબેન, મંજુલાબેન, સુનીતાબેન, ભાવનાબેન, કમલાબેન, મીનાક્ષીબેન, નિર્મલાબેન, કોકીલાબેન, વાલુબેન, ઉમાબેન, આરતીબા, હુસાબા, નીલમબા, ઝરીનાબેન, અમીનાબેન, નૂરી બેન, પુરબાઈ, કલ્પનાબેન, કિરણબેન, રસિકબા, વશીકાબેન, સ્મિતિ બેન, કોમલબેન, ભૂમિકાબેન, શેરબાનુ બેન તેમજ દેવેન્દ્રસિંહ ઝાલા, ચેતનભાઇ જોશી, ભરતભાઈ સોલંકી, દશરથ ખાગરોથ, સમીપભાઈ જોશી, કાસમ ભાઈ ત્રાયા, લતીફ ભાઈ ખલીફા, સમીરભાઈ મહેશ્વરી, ઈસ્માઈલ ભાઈ સોઢા, હરી ચંદ્રસિંહ ચુડાસમા, વિશાલભાઈ ધેડા, જોબ ઝોન, હરેશભાઈ રતડ અને નવીનભાઈ અબચુગ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.