ગાંધીધામ સંકુલમાં મહાશિવરાત્રી પર્વની ઉમંગભેર ઉજવણી

Mahashivratri celebration in Gandhidham complex Mahashivratri celebration in Gandhidham complex

હર હર મહાદેવના નાદ સાથે નીકળેલી શોભાયાત્રાએ જમાવ્યુ આકર્ષણ

ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃગાંધીધામ-આદિપુરમાં મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ દેવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. રૂદ્રાભિષેક, બીલીપત્ર અર્પણ કરી ભક્તોએ ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો.

Advertisements
Advertisements

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભાંગની પ્રસાદી પણ દેવાલયોમાં કરવામાં આવી હતી. જેનો ભક્તોએ સ્વાદ માણ્યો હતો. આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છી સતવારા સમાજ દ્વારા ભવ્ય બાઈક રેલી તેમજ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હર હર મહાદેવના નાદ સાથે નિકળેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment