ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દર વર્ષે 28 મેના રોજ ઉજવવામાં આવતા મેન્સ્ટ્રૂઅલ હાઇજિન દિવસ ઉજવવામા આવે છે.માસિક સ્ત્રાવ દરમિયાન આ ભાગે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ ટાળો.આ સિવાય પીરિયડ્સ દરમિયાન પાર્ટ્સને વારંવાર ધોતા રહો, તેને સ્વચ્છ અને સૂકા રાખો.આરામદાયક કપડાં પહેરો ખાસ કરીને કોટન અંડરગાર્મેન્ટ્સ તમને પરસેવાની તકલીફથી દૂર રાખશે.

તમે પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લીધેલા કાપડ કે સેનેટરી પેડ્સના ડિસ્પોઝલનુ પણ ખાસ ધ્યાન રાખવુ જોઈએતાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ મમતાદિવસ મા ઉજવણી કરવામા આવી.જેમા ઈનર વ્હીલ ક્લબ ગાંધીધામ ના પૂજા ઠક્કર,MOH ગાંધીધામ મ્યુનિસિપાલિટી ડો દિનેશ સુતરીયા,અર્બન ડીપીસી કેયૂર પરમાર,વિજય પરમાર,ડો ખેતગર ગોસ્વામી ,ચેતના બેન જોશી,અલ્પા મારવાડા,ડો જીત અને મેડીકલ ઓફિસર ડો ભક્તિ ઠક્કર,ડો હેતલ વડેરા,ડો ઈરમા ઓઢણી,આરોગ્ય સ્ટાફ,આંગણવાડી સ્ટાફ,આશા બહેનો વગેરે કાર્ગો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા.કાર્યક્મ મા સ્વછતા,કિશોરી તેમજ તેના વાલી માસિક વિશે ખુલી ને વાત કરે તેવી સમજણ આપી.તમામ કિશોરી નું હીમોગ્લોબીન,વજન,ઊંચાઈ કરવામાં આવ્યુ,સેનેટરી પેડ આપવામાં આવ્યા.

માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છતા અને એનિમિયા વચ્ચે સીધો સંબંધ છે.એનિમિયાનું સૌથી સામાન્ય કારણ માસિક સ્રાવ દરમિયાન થતો રક્ત સ્ત્રાવ છે.તેમજ તે દિવસોમાં જે અગંત સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું હોય છે તે નથી થતું તે પણ એક કારણ છે.આ સિવાય એનિમિયાના કારણે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઊભી થાય છે જે મહિલાઓના શારીરિક અને જ્ઞાનાત્મક વિકાસને અસર કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને વધુ અસર કરે છે અને ચેપનું વધુ જોખમ વધારે છે.આ સિવાય કેટલીક એવી માન્યતાઓ પણ માસિક ધર્મ સાથે જોડાયેલી છે,જેથી કિશોરીઓની શારીરિક અને કામ કરવાની ક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થાય છે.દિકરી એ માતા ને પોતાના મિત્ર ની જેમ આરોગ્ય સમસ્યાઓ માતાને કહેવી જોઈએ.શાળા અને કોલેજો મા પણ આ અંગે જરૂરી માર્ગદર્શન આપવામા આવે તે જરૂરી છે.