ગાંધીધામમાં સ્ટર્લિંગ હોસ્પિટલની વોકેથોનમાં 1000થી વધુ લોકો જોડાયા

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ:  ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા હૃદયની જાગૃતિ માટે આયોજિત ‘વોકેથોન’માં હજારથી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. “ચાલો દિલ માટે”ના હેશટેગ સાથે યોજાયેલી આ ઇવેન્ટમાં નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હૃદયને તંદુરસ્ત રાખવા માટે વ્યક્તિએ રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું અત્યંત જરૂરી છે.

હૃદયરોગ સામે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય

આધુનિક જીવનશૈલી, અપૂરતો વ્યાયામ અને સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીને કારણે હૃદયરોગના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ ગંભીર સમસ્યા સામે સમાજને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીપીટી ગ્રાઉન્ડથી મુંદ્રા સર્કલ થઈને પરત ડીપીટી ગ્રાઉન્ડ સુધીના રૂટ પર આ આયોજન થયું હતું.

Advertisements

સમાજના દરેક વર્ગનો ઉત્સાહભેર પ્રતિભાવ

હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મીઓ સહિત સમાજના વિવિધ વર્ગના અંદાજે 1,000 લોકોએ આ નિઃશુલ્ક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. સહભાગીઓને ટી-શર્ટ, સર્ટિફિકેટ અને રિફ્રેશમેન્ટ પણ પૂરા પાડવામાં આવ્યા હતા.

સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલના ફેસિલિટી ડિરેક્ટર અભિષેક શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “સ્ટર્લિંગ હોસ્પિટલ કરુણાસભર અને દર્દી-કેન્દ્રિત અભિગમ સાથે અત્યાધુનિક તબીબી સેવાઓ દ્વારા દર્દીઓની આરોગ્ય સંભાળને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે.”

Advertisements

ગાંધીધામ સ્થિત આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓ, શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળ મેડિકલ સ્ટાફથી સજ્જ છે, જે હૃદયના સ્વાસ્થ્ય સહિતની શ્રેષ્ઠ સારવાર આપવા માટે પ્રતિબદ્ધ છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment